USA-ઇરાન યુદ્ધની અસર: અમદાવાદથી 13 ફ્લાઇટ બંધ, 17 હજાર સીટ ઘટી.
USA-ઇરાન યુદ્ધની અસર: અમદાવાદથી 13 ફ્લાઇટ બંધ, 17 હજાર સીટ ઘટી.
Published on: 10th May, 2026

ઇરાન-મિડલ ઈસ્ટ તણાવ અને વૈશ્વિક જેટ ફ્યુઅલ સપ્લાયની અસર અમદાવાદ એરપોર્ટ પર દેખાઈ રહી છે. ઉનાળાની સિઝનમાં, 13 ફ્લાઇટો બંધ અને કેટલીક ફ્લાઇટોની ફ્રીકવન્સી અડધી થતાં દર અઠવાડિયે 17 હજાર સીટો ઘટી ગઈ છે. આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે વિકલ્પો સીમિત બન્યા છે, અને ગલ્ફ સેક્ટરમાં ભાડાં આસમાને પહોંચી ગયા છે. અનેક એરલાઇન્સે રૂટ સ્થગિત કે બંધ કર્યા છે, જેના કારણે મુસાફરીનો સમય વધશે અને પેકેજ મોંઘા થશે.