અમરેલીમાં સિંહ વિસ્તારમાં માઇનિંગ?
અમરેલીમાં સિંહ વિસ્તારમાં માઇનિંગ?
Published on: 10th May, 2026

અમરેલીના જાફરાબાદ નજીક 75 હેક્ટર રિઝર્વ ફોરેસ્ટ જમીન ખાનગી કંપનીને માઇનિંગ માટે આપવાની વન વિભાગની આંતરિક હિલચાલને પગલે સિંહપ્રેમીઓ અને પર્યાવરણપ્રેમીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ જમીન સિંહોનું નિવાસસ્થાન છે અને તેના પર્યાવરણ પર પણ ગંભીર અસર થશે. સરકાર વિકાસના નામે વન્યજીવોના ભોગે નિર્ણય લેશે કે સિંહોના હિતમાં, તે જોવાનું રહ્યું.