વડોદરામાં હનુમાન પ્રાગટ્યોત્સવ: વાડી હનુમાન પોળ યુવક મંડળ દ્વારા ભક્તો માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું.
વડોદરામાં હનુમાન પ્રાગટ્યોત્સવ: વાડી હનુમાન પોળ યુવક મંડળ દ્વારા ભક્તો માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું.
Published on: 04th April, 2026

વડોદરાના વાડી હનુમાન પોળ ખાતે હનુમાન પ્રાગટ્યોત્સવ નિમિત્તે મહાપ્રસાદનું આયોજન કરાયું. આ કાર્યક્રમ વાડી હનુમાન પોળ યુવક મંડળ દ્વારા યોજાયો હતો, જેમાં ઘણા ભક્તોએ લાભ લીધો. આ મંદિર 350 વર્ષ જૂનું છે. પહેલાં આ વિસ્તાર શૂરા શાળવીની પોળ તરીકે ઓળખાતો હતો, જ્યાં વણાટકામ કરતા લોકો રહેતા હતા. હનુમાનની મૂર્તિ મળ્યા બાદ અહીં મંદિર બન્યું.