સુરતના કતારગામમાં ગંદકી, ગુંડાગીરી અને ભયનું સામ્રાજ્ય!
સુરતના કતારગામમાં ગંદકી, ગુંડાગીરી અને ભયનું સામ્રાજ્ય!
Published on: 04th April, 2026

સુરતના કતારગામ-વેડમાં ગંદકી, તૂટેલા ઢાંકણાં, ખુલ્લા વીજળી બોર્ડથી સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ગાર્ડનમાં અસામાજિક તત્વોનો ત્રાસ છે. સ્થાનિકોએ રજૂઆત કરી પણ કોઈ નક્કર કામગીરી થઇ નથી. 26 એપ્રિલે ચૂંટણી પહેલા રાજકીય પક્ષો મતદારોને રીઝવવામાં વ્યસ્ત છે, ત્યારે કતારગામની જનતા પોતાની પાયાની સમસ્યાઓથી ઝઝૂમી રહી છે. ભાજપ, AAP અને કોંગ્રેસ વચ્ચે જંગ છેડાવાની તૈયારીમાં છે.