દ્વારિકાનગરીમાં જગતમંદિરના પુન: જિર્ણોદ્ધારની કામગીરી હજુ અદ્ધરતાલ
દ્વારિકાનગરીમાં જગતમંદિરના પુન: જિર્ણોદ્ધારની કામગીરી હજુ અદ્ધરતાલ
Published on: 30th May, 2026

દેવભૂમિ દ્વારકામાં આવેલા પ્રસિદ્ધ દ્વારકાધીશ જગતમંદિરના શિખર અને જર્જરિત ભાગોના પુનઃજીર્ણોદ્ધારની કામગીરી હજુ શરૂ ન થતાં ભક્તો અને સ્થાનિકોમાં નારાજગી જોવા મળી રહી છે. વર્ષ 2024માં ભારતીય પુરાતત્ત્વ વિભાગ દ્વારા મંદિરનું 3D સ્કેનીંગ અને ટેકનિકલ સર્વેક્ષણ કરવામાં આવ્યું હતું, જેમાં શિખર, ફ્લોરિંગ, સભામંડપ અને અન્ય ભાગોના પથ્થરો બદલવાની જરૂરિયાત દર્શાવવામાં આવી હતી. આશરે ₹18 કરોડના ખર્ચનો અંદાજ પણ તૈયાર થયો હતો. જોકે બે વર્ષ બાદ પણ કામગીરી શરૂ ન થતાં મંદિરના સંરક્ષણ અંગે ચિંતા વધી છે. ભક્તો તાત્કાલિક પુનઃજીર્ણોદ્ધાર શરૂ કરવાની માંગ કરી રહ્યા છે.