નવસારીમાં ગરમી બાદ વાતાવરણમાં પલટો.
નવસારીમાં ગરમી બાદ વાતાવરણમાં પલટો.
Published on: 31st May, 2026

નવસારી જિલ્લામાં અચાનક વાતાવરણ પલટાયું છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે ચીખલી અને ગણદેવી તાલુકામાં પવન સાથે હળવો વરસાદ શરૂ થયો છે. અસહ્ય ગરમી અને બફારાથી ત્રસ્ત લોકોને આ વરસાદને કારણે ઠંડક મળતાં રાહત અનુભવાઈ છે. ચીખલી, થાલા અને આસપાસના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડ્યા હતા. આ હળવા વરસાદથી લોકોને આંશિક રાહત મળી છે, જ્યારે ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે. આ વરસાદને ચોમાસાના વહેલા આગમનના સંકેત તરીકે જોવામાં આવી રહ્યો છે.