જુનાગઢમાં ગુરુપૂણિર્માની ભવ્ય તૈયારી
જુનાગઢમાં ગુરુપૂણિર્માની ભવ્ય તૈયારી
Published on: 26th July, 2026

આગામી 29 જુલાઇએ અષાઢ સુદ પૂનમના દિવસે ગુરુપૂણિર્મા પર્વની ઉજવણી નિમિત્તે ભવનાથક્ષેત્રના વિવિધ આશ્રમોમાં તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. આ પર્વ નિમિત્તે ગુરુજનો પોતાના શિષ્યો માટે કાજુ મૈસુબ, મગનો શીરો, મોહનથાળ, લાડુ, ઉંધીયુ, અડદીયાનો લચકો જેવા વિવિધ પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. ગોરક્ષનાથ આશ્રમના મહંત શેરનાથ બાપુએ ગુરુપૂણિર્માના ધાર્મિક મહત્વ પર પ્રકાશ પાડ્યો. આ દિવસે સમાધી પૂજન, ધજાઆરોહણ, સંતવાણી અને મહાપ્રસાદનું આયોજન કરાયું છે.