શાસ્ત્રો મુજબ ઊભા રહીને પૂજા કરવી શુભ કે અશુભ?
શાસ્ત્રો મુજબ ઊભા રહીને પૂજા કરવી શુભ કે અશુભ?
Published on: 05th September, 2026

હિન્દુ ધર્મમાં દેવી-દેવતાઓની પૂજાનું વિશેષ મહત્વ છે, પરંતુ પૂજા દરમિયાન અજાણતાં થયેલી ભૂલોથી ફળ નથી મળતું. ઘણા લોકો ઊભા રહીને પૂજા કરે છે, પણ શાસ્ત્રો અનુસાર આ યોગ્ય નથી. પૂજા હંમેશા આસન પર બેસીને જ કરવી જોઈએ, કારણ કે ઊભા રહેવાથી મનમાં અસ્થિરતા રહે છે અને સકારાત્મક ઊર્જા પૃથ્વીમાં સમાઈ જાય છે. જોકે, આરતી હંમેશા ઊભા રહીને જ કરવી જોઈએ અને પૂજાના અંતે પરિક્રમા પણ ઊભા રહીને કરવી શુભ ગણાય છે.