જગતમંદિર દ્વારકામાં જન્માષ્ટમી પર પોણા બે લાખ ભાવિકોએ કર્યા દર્શન
જગતમંદિર દ્વારકામાં જન્માષ્ટમી પર પોણા બે લાખ ભાવિકોએ કર્યા દર્શન
Published on: 06th September, 2026

યાત્રાધામ દ્વારકાના સૌથી મોટા તહેવારો પૈકી જન્માષ્ટમી પર્વે ભગવાન દ્વારકાધીશજીના દર્શન માટે પોણા બે લાખથી વધુ ભાવિકો ઉમટી પડ્યા હતા. ત્રણ દિવસમાં કુલ ત્રણ લાખથી વધુ ભક્તોએ જગતમંદિરના દર્શન કર્યા હતા. મધરાતે ભગવાન શ્રીકૃષ્ણના જન્મ સમયે ‘નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયાલાલ કી’ના નાદથી મંદિર ગૂંજી ઊઠ્યું હતું. જન્માષ્ટમીના બીજા દિવસે પરંપરાગત પારણા નૌમનો ઉત્સવ યોજાયો, જેમાં ભગવાનના બાલસ્વરૂપને હિંડોળામાં ઝુલાવી છપ્પન ભોગ ધરાવાયો. વિશાળ શોભાયાત્રા અને સુવર્ણ રથમાં ભગવાનનું વિશેષ આકર્ષણ રહ્યું.