ગુફામાં બિરાજેલા ‘ઝરિયા મહાદેવ’ પર થાય છે કુદરતી જળાભિષેક
ગુફામાં બિરાજેલા ‘ઝરિયા મહાદેવ’ પર થાય છે કુદરતી જળાભિષેક
Published on: 05th September, 2026

પાંચાળ પ્રદેશના સુરેન્દ્રનગર જિલ્લાના ચોટિલા નજીક માંડલ વન વિસ્તારમાં એક ગુફામાં સ્વયંભૂ ‘ઝરીયા મહાદેવ’ બિરાજમાન છે. આ ગુફાની દીવાલમાંથી ચોવીસ કલાક પાણી ટપકતું રહે છે, જેના કારણે શિવલિંગ પર કુદરતી રીતે જ અવિરત જળાભિષેક થાય છે. આ પાણીનો સ્ત્રોત અને તેની પ્રક્રિયા વિજ્ઞાન માટે પણ એક રહસ્ય છે. એવી લોકમાન્યતા છે કે, પાંડવો પણ આ સ્વયંભૂ મહાદેવની પૂજા કરતા હતા, જે આ શિવાલયના મહાભારતકાલીન હોવાનું સૂચવે છે. શ્રાવણ માસમાં અહીં મોટો મેળો ભરાય છે, જ્યાં દેશ-વિદેશથી ભક્તો અને પ્રકૃતિ પ્રેમીઓ આવે છે.