પોરબંદરના દરિયા કાંઠે 24 પિલર પર 150 વર્ષ પૌરાણિક શિવલિંગ ધરાવતું ઇન્દ્રેશ્વર મંદિર આસ્થાનું કેન્દ્ર.
પોરબંદરના દરિયા કાંઠે 24 પિલર પર 150 વર્ષ પૌરાણિક શિવલિંગ ધરાવતું ઇન્દ્રેશ્વર મંદિર આસ્થાનું કેન્દ્ર.
Published on: 10th May, 2026

પોરબંદર ચોપાટી નજીક દરિયા કાંઠે તેમજ હિન્દૂ સ્મશાન ભૂમિ સામે 150 વર્ષ પૌરાણીક ઇન્દ્રેશ્વર મહાદેવનું મંદિર આવેલ છે. એક શિવભક્ત દ્વારા આ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. દરિયાના તોફાની મોજામાં નુકશાન થતા સમયાંતરે મંદિરના બાંધકામમાં ફેરફાર કરી રીનોવેશન કરવામાં આવ્યું હતું. વર્ષ 1998માં વાવાઝોડાને લઈને દરિયામાં મહાકાય મોજાથી મંદિરને ભારે નુકશાન પહોંચતા વર્ષ 2000માં મંદિરનું રીનોવેશન કરવામાં આવ્યું છે. હાલ આ મંદિર 24 પિલર સાથે બનાવવામાં આવ્યું છે.