પૂજા-અનુષ્ઠાનના અંતે ક્ષમાયાચના: શા માટે અને કેવી રીતે?
પૂજા-અનુષ્ઠાનના અંતે ક્ષમાયાચના: શા માટે અને કેવી રીતે?
Published on: 20th August, 2026

ધાર્મિક વિધિઓ, પૂજા કે અનુષ્ઠાનના અંતે ક્ષમાયાચના કરવી એ આપણી સંસ્કૃતિનો મહત્વપૂર્ણ ભાગ છે. માનવ માત્ર ભુલને પાત્ર હોવાથી, પૂજા દરમિયાન અજાણતાં થયેલી ભૂલો માટે દેવી-દેવતાઓ પાસે ક્ષમા માંગવામાં આવે છે. શોડષોપચાર પૂજા, આરતી કે વિદાય સમયે આ વિધિ કરવામાં આવે છે. જો પૂજામાં કોઈ ક્ષતિ રહી ગઈ હોય, મંત્રોચ્ચારમાં ભૂલ થઈ હોય, અથવા કોઈ નિયમનું પાલન ન થયું હોય, તો તેના માટે માફી માંગવામાં આવે છે. ક્ષમાપના માટે અનેક શ્લોક અને સ્તુતિઓ પ્રચલિત છે. આ ક્ષમાયાચના કરવાથી કાર્ય સિદ્ધ થાય છે અને ઈશ્વરની કૃપા પ્રાપ્ત થાય છે.