સુરેન્દ્રનગરમાં શ્રાવણ માસનો પ્રથમ સોમવાર: શિવાલયોમાં ભક્તોની ભીડ
સુરેન્દ્રનગરમાં શ્રાવણ માસનો પ્રથમ સોમવાર: શિવાલયોમાં ભક્તોની ભીડ
Published on: 19th August, 2026

સુરેન્દ્રનગર શહેરમાં અને જિલ્લા ગ્રામ્ય વિસ્તારોમાં પવિત્ર શ્રાવણ માસ દરમિયાન શિવભક્તિનો માહોલ છવાયો છે. દરરોજ સવારથી જ ભક્તો શિવજીની પૂજા-અર્ચના કરી રહ્યા છે. તા. ૧૭મી ઓગસ્ટના પ્રથમ સોમવારે શિવાલયોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. સાંજના સમયે શિવજીને રંગબેરંગી ફૂલોથી શણગારવામાં આવ્યા હતા. ભક્તોએ અનેક શિવાલયોમાં દર્શન કરી ધન્યતા અનુભવી. ફુલોના શણગાર સાથે દીપમાળ, મહાઆરતી અને પ્રસાદ વિતરણનું પણ આયોજન કરાયું હતું.