દેડિયાપાડા મહાબળેશ્વર મહાદેવ મંદિરમાં શીતળા સાતમની ઉજવણી
દેડિયાપાડા મહાબળેશ્વર મહાદેવ મંદિરમાં શીતળા સાતમની ઉજવણી
Published on: 20th August, 2026

દેડિયાપાડા ખાતે આવેલા મહાબળેશ્વર મહાદેવના પ્રાંગણમાં પરમ પૂજ્ય સુરેશ મહારાજ દ્વારા શ્રાવણ સુદ સાતમ શિતળા સાતમ નિમિત્તે બહેનો દ્વારા શિતળા માતાજીની માટીની મૂર્તિની પૂજા અર્ચના કરવામાં આવી હતી. શિતળા માતાજીને નાળિયેર અક્ષત અબીલ ગુલાલ કંકુ અને અન્ય પૂજાની સામગ્રી દા્વર પૂજા અર્ચના કરવામાં આવી હતી. આ પ્રસંગે બહેનો એ શિતળા માતાજી પાસે કુટુંબ પરિવાર ઉપર તંદુરસ્તી સારી રહે દુઃખ, દર્દ દૂર થાય એવી પ્રાર્થના કરી હતી.