અંકલેશ્વરમાં શીતળા માતાનું પરંપરાગત રીતે પૂજન
અંકલેશ્વરમાં શીતળા માતાનું પરંપરાગત રીતે પૂજન
Published on: 20th August, 2026

પવિત્ર શ્રાવણ માસમાં શીતળા સાતમનો તહેવાર ગુજરાતમાં ભાવથી મનાવવામાં આવે છે. આ દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓ શીતળા માતાનું વ્રત રાખી, ઠંડા પાણીથી સ્નાન કરી, સ્વચ્છ વસ્ત્રો પહેરી ઘીનો દીવો કરી પૂજા-અર્ચના કરે છે. પરિવારના સ્વાસ્થ્ય માટે કામના સાથે ઠંડુ ભોજન આરોગવામાં આવે છે. અંકલેશ્વરમાં ભડકોદ્રાના રામજી મંદિર, મહાદેવ મંદિર, જલારામ મંદિર પરિસર અને રામકુંડ પરિસરમાં મહિલાઓએ શીતળા માતાની પૂજા કરી ધન્યતા અનુભવી.