28 વર્ષીય નિપેક્ષ શેઠની 180 દિવસની કઠિન તપસ્યા
28 વર્ષીય નિપેક્ષ શેઠની 180 દિવસની કઠિન તપસ્યા
Published on: 20th August, 2026

અમદાવાદના ગોતા નિવાસી 28 વર્ષીય નિપેક્ષ શેઠે જૈન ધર્મ અનુસાર માત્ર ઉકાળેલા પાણી પર 180 દિવસના અતિ કઠોર ઉપવાસનો પ્રારંભ કર્યો છે. 24 માર્ચથી શરૂ થયેલી આ તપસ્યામાં તેઓ ધાર્મિક કાર્યો સાથે ઓફિસ વર્ક પણ સંભાળી રહ્યા છે. પૂજ્ય સાધ્વીજી કુલદર્શિતાશ્રીજીની પ્રેરણાથી આરાધના કરી રહેલા નિપેક્ષે ઉપવાસ દરમિયાન પાંચ વખત પાલિતાણાની જાત્રા કરી 3500 પગથિયાં ચઢ્યા હતા. દાદી પાસેથી મળેલા ધાર્મિક સંસ્કારોએ તેમને આ મોટી તપસ્યા પૂર્ણ કરવા પ્રેરણા આપી છે.