શ્રાવણ માસમાં છોટાઉદેપુરના ઉમલ્લા પંથકમાં ભક્તિનો ઉત્સાહ
શ્રાવણ માસમાં છોટાઉદેપુરના ઉમલ્લા પંથકમાં ભક્તિનો ઉત્સાહ
Published on: 19th August, 2026

અછાલીયા, ઝઘડીયા તાલુકાના ઉમલ્લા નગર અને ગ્રામ્ય વિસ્તારના શિવાલયોમાં પવિત્ર શ્રાવણ માસ દરમિયાન અનેક ધાર્મિક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ભક્તો નિત્ય શિવ પાર્થેશ્વર પૂજન, અર્ચન, દૂધ જળાભિષેક, બિલીપત્ર અર્પણ કરી આરતી અને સમૂહ ભજન-કીર્તન-ધૂનમાં જોડાય છે. સાંજે મહિલા ભજન મંડળ અને રાત્રે પુરૂષ ભક્તો ભજનમાં ભાગ લે છે. અસા ગામના લકુલીશ શિવાલયમાં શિવ શણગાર સહિત ધાર્મિક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.