ધંધૂકાના ભડીયાદના રામનાથ મહાદેવને શ્રાવણના પ્રથમ સોમવારે શાકભાજી અને ફળોનો ભવ્ય શૃંગાર
ધંધૂકાના ભડીયાદના રામનાથ મહાદેવને શ્રાવણના પ્રથમ સોમવારે શાકભાજી અને ફળોનો ભવ્ય શૃંગાર
Published on: 19th August, 2026

ધંધૂકાના ભડીયાદ ખાતે શ્રાવણ માસના પવિત્ર પ્રથમ સોમવારે રામનાથ મહાદેવ મંદિર પરિસરમાં ભક્તિ અને સેવાભાવ જોવા મળ્યો. બાળકો તથા યુવા ગ્રુપ દ્વારા ભગવાન મહાદેવનો લગભગ ત્રણસો મણ શાકભાજી અને ફળોથી અનોખો શૃંગાર કરાયો. શાકભાજીથી શણગારેલા મહાદેવજીના દિવ્ય સ્વરૂપના દર્શન માટે ભક્તોમાં ભારે ઉત્સાહ હતો. શૃંગાર બાદ આ શાકભાજી જરૂરિયાતમંદ પરિવારો અને બાળકોને વિનામૂલ્યે વિતરણ કરાયું, જે એક ઉત્તમ પહેલ હતી.