અંબાજીના કુંભેશ્વર મહાદેવ મંદિરના વૈજ્ઞાનિક ઢબે સંરક્ષણ માટે પુરાતત્વ વિભાગે હાથ ધરી કામગીરી
અંબાજીના કુંભેશ્વર મહાદેવ મંદિરના વૈજ્ઞાનિક ઢબે સંરક્ષણ માટે પુરાતત્વ વિભાગે હાથ ધરી કામગીરી
Published on: 22nd August, 2026

બનાસકાંઠાના અંબાજી નજીક આવેલ 10મી-11મી સદીના પ્રાચીન કુંભેશ્વર મહાદેવ મંદિરના જતન માટે ગુજરાત પુરાતત્વ વિભાગે મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. શ્રાવણ માસ દરમિયાન કચ્છ સર્કલની ટેકનિકલ ટીમે મંદિરનું સ્થળ નિરીક્ષણ કરી, વૈજ્ઞાનિક ઢબે પુરારક્ષણની કામગીરી શરૂ કરી છે. મંદિરના મૂળ સ્થાપત્ય, કોતરણી અને ઐતિહાસિક વિશિષ્ટતા જાળવી રાખવામાં આવશે. ટીમે મંદિરની વર્તમાન સ્થિતિ, ક્ષય અને નુકસાનની નોંધ લીધી છે, જેથી કોતરણી તથા શિલ્પકલાને નુકસાન ન થાય તે રીતે ક્ષતિગ્રસ્ત ભાગોનું સંરક્ષણ કરી શકાય. આ અમૂલ્ય સાંસ્કૃતિક વારસો આગામી પેઢી સુધી સુરક્ષિત રહે તે મુખ્ય હેતુ છે.