અમદાવાદમાં ગણેશ વિસર્જન માટે 38 સ્થળોએ આર્ટિફિશિયલ તળાવ તૈયાર
અમદાવાદમાં ગણેશ વિસર્જન માટે 38 સ્થળોએ આર્ટિફિશિયલ તળાવ તૈયાર
Published on: 13th September, 2026

અમદાવાદ શહેરમાં ગણેશોત્સવ દરમિયાન મૂર્તિ વિસર્જન માટે મહાનગરપાલિકા દ્વારા 38 સ્થળો પર આર્ટિફિશિયલ તળાવ બનાવવામાં આવ્યા છે. પર્યાવરણની જાળવણી અને જળાશયોને પ્રદૂષણથી બચાવવા માટે આયોજન કરાયું છે. આ માટે 8 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો છે, જેમાં 47 જેટલા કૃત્રિમ વિસર્જન કુંડનું નિર્માણ થયું છે. દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ આ કુંડનો ઉપયોગ કરીને સુરક્ષિત વિસર્જન કરી શકે છે. કાયમી કુંડ બનાવવાના આયોજનને હજુ સુધી નક્કર કાર્યવાહી મળી નથી.