રક્તદાન કેમ્પનું આયોજન કરાયું:ગોધરા સ્વામિ. મંદિરમાં યોજાયેલ કેમ્પમાં 222 યુનિટ રક્તદાન થયું
રક્તદાન કેમ્પનું આયોજન કરાયું:ગોધરા સ્વામિ. મંદિરમાં યોજાયેલ કેમ્પમાં 222 યુનિટ રક્તદાન થયું
Published on: 24th February, 2026

ગોધરાના શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિરે યોજાયેલ રક્તદાન કેમ્પમાં 222 યુનિટ રક્ત એકત્ર કરાયુ હતુ. ધોલેરામાં ભગવાન શ્રી સ્વામિનારાયણ મંદિર સ્થાપનના દ્વિશતાબ્દી વર્ષના ઉપક્રમે વડતાલ શ્રી લક્ષ્મીનારાયણદેવ આચાર્ય અજેન્દ્રપ્રસાદજી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી સમગ્ર ગુજરાત અને મહારાષ્ટ્રના વિવિધ કેન્દ્રો પર મહારક્તદાન કેમ્પનું આયોજન 22 ફેબ્રુઆરીના રોજ કરવામાં આવ્યું હતું. જેમાં કુલ 10,264 બ્લડ યુનિટ એકત્ર થયા હતા. આ રક્તદાન અભિયાન ખાસ કરીને કેન્સર પીડિત અને થેલેસેમિયાગ્રસ્ત દર્દીઓની વહારે આવવા માટે LNDYM અને LNDMM દ્વારા હાથ ધરાયું હતું. અમરેલીના ઈશ્વરીયા મુકામે ભાવિઆચાર્ય નૃગેન્દ્રપ્રસાદજી મહારાજે સ્વયં રક્તદાન કરી સત્સંગ સમાજને પ્રેરણા પુરી પાડી હતી.