સાબરકાંઠામાં 32 પોલીસકર્મીની આંતરિક બદલી
સાબરકાંઠામાં 32 પોલીસકર્મીની આંતરિક બદલી
Published on: 24th February, 2026

સાબરકાંઠા જિલ્લા પોલીસ વડા ડૉ. પાર્થરાજસિંહ ગોહિલે વહીવટી કારણોસર 32 પોલીસકર્મીઓની આંતરિક બદલીના આદેશ આપ્યા છે. જેમાં ASI, હેડ કોન્સ્ટેબલ અને લોકરક્ષક સહિતના કર્મચારીઓનો સમાવેશ થાય છે. આ બદલીઓ હિંમતનગર, ઇડર, પ્રાંતિજ અને ખેડબ્રહ્મા જેવા વિવિધ પોલીસ સ્ટેશનો તેમજ SOG અને સાયબર ક્રાઈમ જેવી શાખાઓમાં જાહેરહિતમાં કરવામાં આવી છે.