પોરબંદર મનપા: ગ્રાન્ટ ફેરબદલી અને ઓનલાઈન ટેક્સ ભરનારાઓને વધારાના 1% રિબેટનો નિર્ણય
પોરબંદર મનપા: ગ્રાન્ટ ફેરબદલી અને ઓનલાઈન ટેક્સ ભરનારાઓને વધારાના 1% રિબેટનો નિર્ણય
Published on: 26th August, 2026

પોરબંદર મનપાની જનરલ બોર્ડની બેઠકમાં વિકાસ કાર્યો, નાણાકીય શિસ્ત અને વહીવટી સરળતા માટે મહત્વપૂર્ણ નિર્ણયો લેવાયા. ભૂગર્ભ ગટર અને પાણી પુરવઠા વિભાગ માટે વધેલા ખર્ચને પહોંચી વળવા ગ્રાન્ટ રી-એપ્રોપ્રિએશન કરવામાં આવ્યું છે. જેમાં વોટર વર્કસ ફિલ્ટર પ્લાન્ટની ગ્રાન્ટમાંથી રકમ ભૂગર્ભ ગટર અને પાણી પુરવઠાના ઓપરેશન અને મેઈન્ટેનન્સ (OM) માટે ફાળવવામાં આવી છે. નાગરિકોને સુવિધા આપવા ઓનલાઈન હાઉસ ટેક્સ ભરનારાઓને નિયમિત 10% રિબેટ ઉપરાંત વધારાના 1% રિબેટનો લાભ 30/09/2026 સુધી આપવામાં આવશે.