ધોલેરાના દરિયાકાંઠે ૧.૫ કરોડથી વધુ 'ચૅર' વનસ્પતિનું સફળ વાવેતર
ધોલેરાના દરિયાકાંઠે ૧.૫ કરોડથી વધુ 'ચૅર' વનસ્પતિનું સફળ વાવેતર
Published on: 26th August, 2026

રાજ્યમંત્રી દર્શનાબેને ધોલેરા ખાતે જણાવ્યું કે, પ્રધાનમંત્રીના વિઝનથી આકાર પામતું ધોલેરા અને ગીફ્ટ સીટી વિકાસની દિશામાં સતત આગળ વધી રહ્યા છે. વિકાસની સાથે ગ્રીન કવર વધારવું પણ અનિવાર્ય છે. સામાજિક વનીકરણ વિભાગના પ્રયાસોથી ધોલેરા અને ભાલ જેવા પ્રદેશમાં ૫૦ હજારથી વધુ વૃક્ષોનું વાવેતર થયું છે. વિશેષ ડ્રમ પદ્ધતિથી કરાયેલા વાવેતરની નોંધ દેશસ્તરે લેવાઈ છે. ધોલેરાના દરિયાકાંઠે ૧.૫ કરોડથી વધુ 'ચૅર' (મેન્ગ્રોવ્ઝ) વનસ્પતિનું વાવેતર કરાયું છે, જે હરિયાળી વિસ્તરણના પ્રયાસોને વેગ આપે છે.