પોરબંદરમાં પોલીસ અને મહાનગરપાલિકા દ્વારા PM સ્વનિધિ યોજના લોન મંજૂરી પત્રોનું વિતરણ
પોરબંદરમાં પોલીસ અને મહાનગરપાલિકા દ્વારા PM સ્વનિધિ યોજના લોન મંજૂરી પત્રોનું વિતરણ
Published on: 15th July, 2026

પોરબંદર પોલીસ હેડક્વાર્ટર ખાતે જિલ્લા પોલીસ અને મહાનગરપાલિકા દ્વારા PM સ્વનિધિ યોજના હેઠળ લાભાર્થીઓને બેંક લોન મંજૂરી પત્રોનું વિતરણ કરવાનો કાર્યક્રમ યોજાયો. ડેપ્યુટી મેયર મનીષભાઈ શિયાળે જણાવ્યું કે આ યોજના નાના વેપારીઓના સ્વાભિમાન અને પરિવારના ભવિષ્યને સુરક્ષિત રાખવાનું માધ્યમ છે. ડી.વાય.એસ.પી. રુતુ રાબાએ વ્યાજખોરીથી મુક્ત થઈ સરકારી યોજનાઓનો લાભ લેવા અને નિર્ભયતાપૂર્વક પોલીસનો સંપર્ક કરવા અપીલ કરી. SBIના પ્રતિનિધિ ઝાહિદ ખોખરે સુરક્ષિત બેંકિંગ અને સાયબર ફ્રોડથી બચવા માર્ગદર્શન આપ્યું.