સાંસદની બજેટ સામે નારાજગી: ગંગાપુર ડેમની માગણી અધૂરી, આદિવાસી વિસ્તારો સિંચાઈથી વંચિત રહ્યા.
સાંસદની બજેટ સામે નારાજગી: ગંગાપુર ડેમની માગણી અધૂરી, આદિવાસી વિસ્તારો સિંચાઈથી વંચિત રહ્યા.
Published on: 24th February, 2026

ભાજપના સાંસદ મનસુખ વસાવાએ ગુજરાત સરકારના બજેટ સામે નારાજગી વ્યક્ત કરી છે. મુખ્યમંત્રીને લખેલા પત્રમાં દેડિયાપાડા, સાગબારા જેવા વિસ્તારોને બાકાત રાખવાની વાત કરી છે. ગંગાપુર ડેમની માંગણી 15 વર્ષથી પેન્ડિંગ છે. Narmada ડેમનું પાણી કરજણ ડેમમાં ભરી, ગંગાપુર ડેમ ભરવાની માંગણી કરી છે. આ યોજનાથી ઘણા તાલુકાઓને સિંચાઈનો લાભ મળશે, પણ આદિવાસી વિસ્તારોને બાકાત રખાતા દુઃખ વ્યક્ત કર્યું.