વિધાનસભાની સેમીફાઈનલ ચૂંટણીમાં 'અંડરકરન્ટ': મતદારોનું મન કળવું અઘરું, નેતાઓના જીવ તાળવે ચોંટ્યા
વિધાનસભાની સેમીફાઈનલ ચૂંટણીમાં 'અંડરકરન્ટ': મતદારોનું મન કળવું અઘરું, નેતાઓના જીવ તાળવે ચોંટ્યા
Published on: 22nd April, 2026

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજય ચૂંટણી પ્રચારને આડે હવે ત્રણેક દિવસ માંડ રહ્યાં છે તેમ છતાંય ચૂંટણી માહોલમાં જોરશોર દેખાતો નથી. આ વખતે ચૂંટણી મુદ્દાઓ પણ જાણે બિનઅસરકારક સાબિત થયાં છે જેથી મતદારોને રિઝવવા શું કરવું એ મુદ્દે ઉમેદવારો અને રાજકીય પક્ષો મૂંઝવણમાં મૂકાયાં છે.મતદારોના અકળ વલણથી ઉમેદવારોમાં ચિંતાવર્તમાન રાજકીય સ્થિતિ જોતા ચૂંટણીનો માહોલ એટલો નિરસ બન્યો છે કે જાણે ક્યાંય ચૂંટણી હોય તેવું લાગતું જ નથી. જોકે, આ શાંતિ પાછળ મતદારોમાં એક પ્રકારનો 'અંડરકરન્ટ' હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે.