કોંગ્રેસે પાલનપુર માટે મેનિફેસ્ટો જાહેર કર્યો.
કોંગ્રેસે પાલનપુર માટે મેનિફેસ્ટો જાહેર કર્યો.
Published on: 22nd April, 2026

બનાસકાંઠામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્વે કોંગ્રેસે પાલનપુર શહેર માટે સર્વાંગી વિકાસલક્ષી મેનિફેસ્ટો જાહેર કર્યો છે. જિલ્લા પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતે રસ્તા, પાણી અને ગટર જેવી પાયાની સુવિધાઓના કાયમી ઉકેલ સાથે ૧૧ વોર્ડમાં ‘મોહલ્લા ક્લિનિક’ અને વિદ્યાર્થીઓ માટે આધુનિક લાઈબ્રેરી સ્થાપવાનું વચન આપ્યું છે. કોંગ્રેસે ભ્રષ્ટાચાર મુક્ત પારદર્શક વહીવટ, ટેન્ડર પ્રક્રિયામાં પ્રામાણિકતા અને દર ત્રણ મહિને ‘લોકસંવાદ’ યોજી પ્રશ્નોના નિકાલની ખાતરી આપી છે. આ મેનિફેસ્ટોમાં સામાન્ય નાગરિકોની જરૂરિયાતોને કેન્દ્રમાં રાખીને શહેરના વિકાસનો રોડમેપ રજૂ કરવામાં આવ્યો છે.