રાજ્યસભા ચૂંટણીઃ ભાજપે ઓડિશાથી 82 ધારાસભ્યોને પારાદીપ મોકલ્યા
રાજ્યસભા ચૂંટણીઃ ભાજપે ઓડિશાથી 82 ધારાસભ્યોને પારાદીપ મોકલ્યા
Published on: 15th March, 2026

ઓડિશામાં ૧૬ માર્ચે યોજાનારી રાજ્યસભાની ૪ બેઠકોની ચૂંટણી પહેલાં રાજકીય ગરમાવો તેજ થયો છે. ભાજપે પોતાના ૮૨ ધારાસભ્યોને તાલીમ અને રણનીતિના ભાગરૂપે પારાદીપ મોકલી દીધા છે, જ્યારે કોંગ્રેસે તેના ધારાસભ્યોને બેંગલુરુના રિસોર્ટમાં રાખ્યા છે. પૂર્વ મુખ્યમંત્રી નવીન પટનાયકે ભાજપ પર 'હોર્સ ટ્રેડિંગ'નો આરોપ લગાવ્યો છે. ૧૬ માર્ચે જ મતદાન અને ગણતરી હાથ ધરાશે, જેમાં ભાજપ ૩ બેઠકો જીતવાનો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યો છે.