આજે દૂધના ભાવ મુદ્દે જંગના એંધાણ, દેહગામ નગરપાલિકાના વિકાસ કાર્યોનું લોકાર્પણ
આજે દૂધના ભાવ મુદ્દે જંગના એંધાણ, દેહગામ નગરપાલિકાના વિકાસ કાર્યોનું લોકાર્પણ
Published on: 15th March, 2026

ગાંધીનગરના દહેગામમાં પશુપાલકોના પ્રશ્નો ઉગ્ર બન્યા છે. 15 માર્ચ 2026ના રોજ નગરપાલિકાના વિકાસ કામોના કાર્યક્રમમાં પશુપાલકો સાંસદને રજૂઆત કરશે. સોશિયલ મીડિયામાં વાયરલ પોસ્ટરોથી ચર્ચા જાગી છે. દહેગામના ઓડા ગાર્ડન ખાતે 93.96 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ થશે, જેમાં સાંસદ હસમુખભાઈ પટેલ ઉપસ્થિત રહેશે. દૂધના ભાવ અને પશુપાલકોની મુશ્કેલીઓ વણઉકેલી હોવાથી વિરોધ છે. પશુપાલકોને દૂધ સાથે કાર્યક્રમ સ્થળે પહોંચવા અપીલ કરવામાં આવી છે.