અમરેલીના ચતુરીમાં સિંહણના હુમલામાં બાળકનું મોત, અર્જુન મોઢવાડીયા પહોંચ્યા પરિવારને મળવા
અમરેલીના ચતુરી ગામમાં સિંહણના હુમલામાં પાંચ વર્ષીય બાળકના મોત બાદ વનમંત્રી અર્જુન મોઢવાડિયાએ પીડિત પરિવારને સાંત્વના આપી અને ગામલોકો સાથે બેઠક કરી. સ્થાનિકોએ સિંહોના વધતા હુમલા અને સુરક્ષાના મુદ્દે રજૂઆતો કરી. છેલ્લા એક મહિનામાં વિસ્તારમાં સિંહ હુમલામાં ચાર લોકોના મોત થયા છે. વનમંત્રીએ માનવ-સિંહ સંઘર્ષ ઘટાડવા નવી SOP તૈયાર કરવાની અને લોકોની સુરક્ષા માટે જરૂરી પગલાં ભરવાની ખાતરી આપી છે.
અમરેલીના ચતુરીમાં સિંહણના હુમલામાં બાળકનું મોત, અર્જુન મોઢવાડીયા પહોંચ્યા પરિવારને મળવા
અમદાવાદમાં લક્ઝુરિયસ સોસાયટી અને શો-રૂમ માલિકો વચ્ચે પાર્કિંગનો વિવાદ હાઈકોર્ટ પહોંચ્યો
ગુજરાત હાઇકોર્ટે માલાબાર કાઉન્ટી-2 સોસાયટીમાં પાર્કિંગ વિસ્તારમાં થયેલા ગેરકાયદે કબજા અને સબલેટિંગ મામલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને કાર્યવાહી તાત્કાલિક પૂર્ણ કરવાની સૂચના આપી છે. સોસાયટીએ વ્યાવસાયિક એકમો સામે રહેવાસીઓને પાર્કિંગમાં મુશ્કેલી પડતી હોવાની ફરિયાદ કરી હતી. કોર્પોરેશને નોટિસો આપી અતિક્રમણ દૂર કરવાની કાર્યવાહી શરૂ કરી હોવાનું કોર્ટને જણાવ્યું. હાઇકોર્ટે હાલ વધુ હસ્તક્ષેપ જરૂરી નથી ગણાવ્યો, પરંતુ કાર્યવાહી અધૂરી રહે તો ફરી અરજી કરવાની છૂટ આપી છે.
અમદાવાદમાં લક્ઝુરિયસ સોસાયટી અને શો-રૂમ માલિકો વચ્ચે પાર્કિંગનો વિવાદ હાઈકોર્ટ પહોંચ્યો
અમદાવાદમાં રદ કરાયેલી ₹500ની નોટોનો જથ્થો મળ્યો!
અમદાવાદના રામોલ પોલીસે રબારી કોલોની ચાર રસ્તા પાસેથી 500 રૂપિયાની જૂની 7,800 ચલણી નોટો સહિત રૂ.39 લાખનો જથ્થો જપ્ત કરી બે શખ્સોની ધરપકડ કરી છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે નોટો મહારાષ્ટ્રના જલગાંવથી લાવી ગાંધીનગરમાં ગેરકાયદે બદલવાની હતી. પોલીસે બે મોબાઇલ પણ જપ્ત કર્યા છે અને વધુ બે આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે. સમગ્ર નેટવર્ક અને નોટોના ઉપયોગ અંગે વધુ તપાસ ચાલી રહી છે.
અમદાવાદમાં રદ કરાયેલી ₹500ની નોટોનો જથ્થો મળ્યો!
પંચાયતોની મુદત પુરી, સરપંચોને પ્રશાસક બનાવવાનો સરકારનો નિર્ણય, હાઈકોર્ટ લાલઘૂમ.
ઉત્તર પ્રદેશમાં ગ્રામ પંચાયતોની મુદત પુરી થયા બાદ સરપંચોને જ પ્રશાસક તરીકે નિયુક્ત કરવાના સરકારના નિર્ણયને અલ્હાબાદ હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો છે. હાઈકોર્ટે જણાવ્યું કે, સરપંચોને પ્રશાસક તરીકે ચાલુ રાખવાની મંજૂરી આપી શકાય નહીં, જે ડિવિઝન બેંચના અગાઉના આદેશનું ઉલ્લંઘન છે. કોર્ટે રાજ્ય સરકારને OBC કમિશનનો રિપોર્ટ અને ચૂંટણીની સમયસીમા રજૂ કરવા અંતિમ તક આપી છે. આગામી સુનાવણી 13 જુલાઈએ યોજાશે.
પંચાયતોની મુદત પુરી, સરપંચોને પ્રશાસક બનાવવાનો સરકારનો નિર્ણય, હાઈકોર્ટ લાલઘૂમ.
વડોદરામાં કોચિંગ ક્લાસીસ સામે ફાયર બ્રિગેડની ઝુંબેશ
સુરત અને લખનઉમાં કોચિંગ ક્લાસમાં લાગેલી આગની ઘટનાઓ બાદ વડોદરા ફાયર બ્રિગેડે શહેરના ટ્યુશન ક્લાસ, કમ્પ્યુટર ટ્રેનિંગ સેન્ટર અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓમાં ફાયર સેફ્ટી તપાસ શરૂ કરી છે. સાત ટીમોએ બે દિવસમાં 49 સંસ્થાઓની તપાસ કરી, જેમાં 15 સંસ્થાઓમાં સુરક્ષા સંબંધિત ખામીઓ મળી આવતા નોટિસ ફટકારી સમયમર્યાદામાં સુધારા કરવા સૂચના આપવામાં આવી છે. સાથે સંચાલકોને ફાયર સેફ્ટી અને ઇમરજન્સી દરમિયાન સુરક્ષિત કામગીરી અંગે તાલીમ પણ આપવામાં આવી રહી છે.
વડોદરામાં કોચિંગ ક્લાસીસ સામે ફાયર બ્રિગેડની ઝુંબેશ
વડોદરા નજીક દશરથ ગામે પ્લોટની દેખરેખ રાખતા ત્રણ સંતાનના પિતાની માથું છુંદી હત્યા
વડોદરાના દશરથ ગામે એક ચોંકાવનારી ઘટના બની છે. ત્રણ સંતાનના પિતા ઉમેદ વસાવા, જેઓ રાત્રે પ્લોટની દેખરેખ રાખવાનું અને દિવસે કાર વોશિંગનું કામ કરતા હતા, તેમની માથું છુંદીને હત્યા કરવામાં આવી છે. તેમના પિતાની જગ્યાએ કામ કરવા ગયેલા ઉમેદની લાશ સવારે મળી આવી હતી. તેમના માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડવામાં આવી હતી અને પાસે એક પથ્થર પણ પડ્યો હતો. છાણી પોલીસે બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે અને મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવવાની તજવીજ કરી છે.
વડોદરા નજીક દશરથ ગામે પ્લોટની દેખરેખ રાખતા ત્રણ સંતાનના પિતાની માથું છુંદી હત્યા
અમદાવાદના દધિચી બ્રિજ પરથી સાબરમતી નદીમાં કૂદવા જતા યુવક માટે 'દેવદૂત' બન્યા MLA!
અમદાવાદના દધીચી બ્રિજ પર એક યુવકે નદીમાં કૂદી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા અને તેમની ટીમે સમયસર હસ્તક્ષેપ કરીને તેનો જીવ બચાવ્યો. ઘટનાની જાણ પોલીસને કરાતા યુવકને કાઉન્સેલિંગ માટે સોંપવામાં આવ્યો. પ્રાથમિક તપાસમાં પારિવારિક વિવાદ અને પત્ની અલગ થઈ જવાથી માનસિક તણાવમાં આવી આ પગલું ભર્યાનું સામે આવ્યું છે. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.
અમદાવાદના દધિચી બ્રિજ પરથી સાબરમતી નદીમાં કૂદવા જતા યુવક માટે 'દેવદૂત' બન્યા MLA!
ભક્તોના દાન પર ત્રાટક્યા ચોર! રામ મંદિરમાં 42 દિવસમાં 70 વાર ચોરી!
અયોધ્યાના રામ મંદિરમાં દાન ચોરી કેસની SIT તપાસમાં CCTV ફૂટેજ અને આંતરિક ઓડિટ દરમિયાન અનેક ગેરરીતિઓ સામે આવી છે. દાનની ગણતરી, રેકોર્ડ જાળવણી અને સુરક્ષા વ્યવસ્થામાં ગંભીર ખામીઓ મળી આવતા અત્યાર સુધી 8 લોકોની ધરપકડ કરવામાં આવી છે. કેસમાં ચોરી, વિશ્વાસઘાત અને ષડયંત્ર સહિતના ગુનાઓ નોંધાયા છે. તપાસ દરમિયાન ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય અને સભ્ય અનિલ મિશ્રાએ રાજીનામું આપ્યું છે, જ્યારે SIT વધુ તપાસ આગળ ધપાવી રહી છે.
ભક્તોના દાન પર ત્રાટક્યા ચોર! રામ મંદિરમાં 42 દિવસમાં 70 વાર ચોરી!
ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય
રાજ્યમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં હવામાન વિભાગે આગામી 7 દિવસ દરમિયાન ગુજરાતના વિવિધ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અમરેલી-ભાવનગર જિલ્લામાં વરસાદની શક્યતા વધુ છે, જ્યારે ભારે વરસાદની કોઈ ચેતવણી આપવામાં આવી નથી. મહત્તમ તાપમાનમાં ખાસ ફેરફાર નહીં થાય અને લોકોને ગરમીથી આંશિક રાહત મળશે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી 3થી 4 દિવસમાં ચોમાસું રાજ્યના વધુ વિસ્તારોમાં આગળ વધવાની સંભાવના છે.
ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય
ઢાઢર-વિશ્વામિત્રી તટ વિસ્તાર માટે "ઇકોરીજનલ પ્લાન" તૈયાર કરવાની ભલામણ
વિશ્વામિત્રી સમિતિએ તેના પાંચમા અહેવાલમાં ઢાઢર અને વિશ્વામિત્રી નદીના સંરક્ષણ, પૂર નિયંત્રણ અને પ્રદૂષણ નિવારણ માટે "ઇકો-રીજનલ પ્લાન" તૈયાર કરવાની ભલામણ કરી છે. નદીના કુદરતી પ્રવાહ મુજબ જમીનનો નવો પ્રોપર્ટી મેપ, ફ્લડ એફેક્ટેડ વિસ્તારોમાં બાંધકામ પર પ્રતિબંધ, ઇકોલોજિકલ પાર્ક અને મનોરંજનલક્ષી પ્રવૃત્તિઓને મંજૂરી, તેમજ અસરગ્રસ્ત જમીન માલિકોને વળતર સૂચવાયું છે. STP પ્લાન્ટની કામગીરી, BOD પરીક્ષણની પદ્ધતિમાં ખામી, કાટમાળ હટાવવા એક્શન પ્લાનનો અભાવ, ભૂગર્ભ જળનું ઘટતું સ્તર અને વધતી ખારાશ અંગે પણ ગંભીર ચિંતા વ્યક્ત કરાઈ છે.
ઢાઢર-વિશ્વામિત્રી તટ વિસ્તાર માટે "ઇકોરીજનલ પ્લાન" તૈયાર કરવાની ભલામણ
કલોલ પોલીસે ગાંજાની હેરાફેરી કરતા અમદાવાદના 2 શખશો દબોચ્યા
કલોલ તાલુકા પોલીસે બાઈક મારફતે ગાંજાની હેરાફેરી કરતા અમદાવાદના બે આરોપીઓને ઝડપી પાડીને 5.060 કિલોગ્રામ ગાંજો સહિત કુલ રૂ. 4.39 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું કે નશાના કારોબારીઓ ચેકિંગથી બચવા ગામડાંના આંતરિક રસ્તાઓ અને ટૂ-વ્હીલરનો ઉપયોગ કરી રહ્યા હતા. કેસમાં બે મુખ્ય સૂત્રધારોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. પોલીસે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી સમગ્ર નશા નેટવર્ક સુધી પહોંચવા તપાસ તેજ કરી છે.
કલોલ પોલીસે ગાંજાની હેરાફેરી કરતા અમદાવાદના 2 શખશો દબોચ્યા
લોકસભામાં NDA 300 પાર થતાં જ INDIA ગઠબંધનમાં ચિંતા વધી
રાજ્યસભા ચૂંટણી અને પ્રાદેશિક પક્ષોમાં થયેલા ફેરફારો બાદ સંસદમાં NDA ગઠબંધનની સંખ્યા સતત વધી રહી છે, જ્યારે INDIA ગઠબંધનમાં ચિંતા વધી છે. DMKના નિવેદન બાદ તેને ગઠબંધનમાં જાળવી રાખવા પ્રયાસો તેજ બન્યા છે. તૃણમૂલ કોંગ્રેસ અને શિવસેનાના કેટલાક સાંસદોના સમર્થનથી NDAનું સંખ્યાબળ વધુ મજબૂત બન્યું છે. આગામી ચોમાસુ સત્ર પહેલાં વધુ રાજકીય ફેરફારો અને પક્ષપલટાની અટકળો વચ્ચે સંસદના બદલાતા સમીકરણો પર સૌની નજર છે.
લોકસભામાં NDA 300 પાર થતાં જ INDIA ગઠબંધનમાં ચિંતા વધી
અમદાવાદ જિલ્લામાં લાંબા વિરામ બાદ મેઘરાજા મહેરબાન
અમદાવાદ જિલ્લામાં લાંબા સમયના વિરામ બાદ મેઘરાજા ફરી મહેરબાન થયા છે. ધંધુકા પંથક અને તેના આસપાસના વિસ્તારોમાં અચાનક વાતાવરણ પલટાયું અને ભારે પવન સાથે ધોધમાર વરસાદ શરૂ થયો. આ વરસાદના કારણે ગરમીથી રાહત મળી છે અને ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. ઊંચડી પંથકમાં 1.5 ઇંચ વરસાદ નોંધાયો, જેના કારણે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. ચંદરવા, ઝાંઝરકા સહિત અનેક ગામોમાં પણ સાર્વત્રિક વરસાદ થયો. અમુક નીચાણવાળા વિસ્તારો અને ખેતરોમાં પાણી ભરાયા છે, જે પાક માટે ફાયદાકારક અને ચિંતાનો વિષય બંને બની શકે છે.
અમદાવાદ જિલ્લામાં લાંબા વિરામ બાદ મેઘરાજા મહેરબાન
મોદી કેબિનેટમાં મોટા ઉલટફેરના એંધાણ!
કેન્દ્રની મોદી સરકાર અને ભાજપ સંગઠનમાં ટૂંક સમયમાં મોટા ફેરફારો થઈ શકે છે. સૂત્રોના જણાવ્યા મુજબ મંત્રીમંડળના વિસ્તરણ સાથે કેટલાક નવા ચહેરાઓને સ્થાન મળશે અને કેટલાક મંત્રીઓની જવાબદારીઓ બદલાશે. એનડીએના સાથી પક્ષો અને નવા જોડાયેલા નેતાઓને પ્રતિનિધિત્વ આપવાની તૈયારી છે. સાથે જ યુવા નેતાઓને તક આપવા અને વરિષ્ઠોને સંગઠનમાં મહત્વની જવાબદારી સોંપવાની યોજના છે. ભાજપના રાષ્ટ્રીય સંગઠનમાં પણ મહિલા ઉપાધ્યક્ષ સહિત અનેક મહત્વપૂર્ણ નિમણૂકો થવાની શક્યતા છે.
મોદી કેબિનેટમાં મોટા ઉલટફેરના એંધાણ!
વડોદરા રેલવે સ્ટેશન પર 30 જૂને સિગ્નલિંગ સિસ્ટમ થશે અપગ્રેડ
પશ્ચિમ રેલવે વડોદરા સ્ટેશનની સંચાલન ક્ષમતા વધારવા માટે યાર્ડ રિમોડેલિંગની કામગીરી કરી રહ્યું છે. મંડળ રેલ પ્રબંધક રાજુ ભડકેએ કામગીરીની સમીક્ષા કરી અને 30 જૂને નોન-ઇન્ટરલોકિંગનું કામ શરૂ થવાની માહિતી આપી. ત્યારબાદ સિગ્નલિંગ સિસ્ટમ અપગ્રેડ થશે. મુસાફરોની સુવિધા માટે પ્લેટફોર્મ નં. 4 અને 5ની લંબાઈ વધારી 22 કોચની ટ્રેનો ચલાવી શકાશે. કામગીરીને કારણે હાલ પ્લેટફોર્મ નં. 5 અને 6 પરથી ટ્રેન સંચાલન અસ્થાયી રીતે બંધ રાખવામાં આવ્યું છે.
વડોદરા રેલવે સ્ટેશન પર 30 જૂને સિગ્નલિંગ સિસ્ટમ થશે અપગ્રેડ
NRIની જમીનના ખોટા દસ્તાવેજો બનાવી છેતરપિંડી કરનાર સામે ફરિયાદ
વડોદરામાં NRI ચેતનાબેન અશ્વિનભાઈ પટેલની જમીનમાં છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે. બિલ્ડર ભુપેન્દ્રભાઈએ નોંધાવેલી ફરિયાદ મુજબ, આરોપી મનીશ સુરેન્દ્રલાલ દીક્ષિતે ચેતનાબેનના પતિ અશ્વિનભાઈની સહીના ખોટા કાગળો બનાવી 1100 ચોરસ મીટર જમીનનો દસ્તાવેજ રજિસ્ટર કરાવી લીધો. અશ્વિનભાઈ 2020 થી અમેરિકામાં હતા અને ત્યારબાદ 2023 માં પરત આવ્યા હતા. આરોપીએ અશ્વિનભાઈના નામની ખોટી સહીવાળી રિસિપ્ટ બનાવી, ચેક દ્વારા ચૂકવણી ન કરીને પણ દસ્તાવેજ કર્યો હતો.
NRIની જમીનના ખોટા દસ્તાવેજો બનાવી છેતરપિંડી કરનાર સામે ફરિયાદ
અમદાવાદના નહેરૂનગરમાં પ્રેમલગ્ન કરનાર વડોદરાની યુવતીનો આપઘાત
અમદાવાદના નહેરૂનગર એપાર્ટમેન્ટમાં રહેતી મૂળ વડોદરાની 19 વર્ષીય યુવતીએ બીજા માળેથી પડતું મૂકીને આપઘાત કર્યો. દીકરીના મોત બાદ ચોંકાવનારા ઘટસ્ફોટ થયા. માતાએ જણાવ્યું કે, દીકરી કહેતી હતી, 'મારે આવવું છે પણ સુરજ આવવા દેતા નથી.' યુવતીએ ઇન્ટર્નશીપ માટે અમદાવાદ આવી સુરજ પરમાર સાથે કોર્ટ મેરેજ કર્યા હતા. લગ્ન પહેલા સુરજે ધમકી આપી હતી. પતિના સતત ત્રાસ અને મારઝૂડથી કંટાળીને યુવતીએ આ પગલું ભર્યું. પોલીસે દુષ્પ્રેરણનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
અમદાવાદના નહેરૂનગરમાં પ્રેમલગ્ન કરનાર વડોદરાની યુવતીનો આપઘાત
વડોદરા નજીક ગોડાઉનમાં ભીષણ આગ
વડોદરા શહેરની આસપાસ ગોડાઉનમાં આગનું જોખમ વધી રહ્યું છે, ફાયર સેફ્ટીના અભાવે મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે. ગઈ રાત્રે દશરથ વિસ્તારમાં એક ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી. વિદેશ પાર્સલ માટે વપરાતા લાકડાનો મોટો જથ્થો રાખેલો હતો, જે આગની ઝપેટમાં આવી ગયો. પાર્ક કરાયેલો એક ટેમ્પો પણ બળી ગયો. ફાયર બ્રિગેડની ટીમોએ પાંચ કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો. લોકોનું ટોળું એકત્ર થયું હતું અને પોલીસે પ્રાથમિક તપાસ હાથ ધરી હતી.
વડોદરા નજીક ગોડાઉનમાં ભીષણ આગ
ગુજરાતના 9 જિલ્લામાં અમીછાંટણાની આગાહી: છેલ્લા 24 કલાકનો વરસાદ અને આગળ શું?
ગુજરાતમાં ચોમાસાનું આગમન થયું છે, જેમાં છેલ્લા 24 કલાકમાં 8 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે, જેમાં ખેડબ્રહ્મામાં સૌથી વધુ 16 મીમી વરસાદ પડ્યો. હવામાન વિભાગ મુજબ, 1 જુલાઈ સુધી ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. આજે 26 જૂને વરસાદમાં થોડો ઘટાડો જોવા મળશે. નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવ જેવા દરિયાકાંઠાના વિસ્તારોમાં હળવો વરસાદ રહેશે. બે સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ લાઇન સક્રિય હોવાથી પવનની દિશા બદલાઈ છે. આગામી 3-4 દિવસમાં ચોમાસુ ગુજરાતમાં આગળ વધશે.
ગુજરાતના 9 જિલ્લામાં અમીછાંટણાની આગાહી: છેલ્લા 24 કલાકનો વરસાદ અને આગળ શું?
ગાંધીનગર: S G હાઇવે પર નશામાં ધૂત નબીરાઓનો આતંક
ગાંધીનગરના S G હાઇવે પર સરગાસણ બ્રિજ નજીક નશામાં ધૂત કારચાલકે બેફામ ગાડી હંકારી ચાર વાહનોને અડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ કારમાં આગ લાગી અને તે બળીને ખાખ થઈ ગઈ, જોકે કારમાં સવાર લોકો સમયસર બહાર નીકળી જતા જાનહાનિ ટળી હતી. અકસ્માતમાં એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો છે. ફાયર બ્રિગેડે આગ પર કાબૂ મેળવ્યો હતો, જ્યારે પોલીસે ગુનો નોંધી નશાખોર ચાલક સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
ગાંધીનગર: S G હાઇવે પર નશામાં ધૂત નબીરાઓનો આતંક
અમદાવાદમાં રખડતાં ઢોરના ત્રાસને ડામવા કવાયત!
અમદાવાદમાં રખડતા ઢોરના વધતા ત્રાસ અને અકસ્માતોને રોકવા શહેર પોલીસે કડક પગલાં લીધાં છે. પોલીસ કમિશનરે રામોલ, વસ્ત્રાલ અને હાથીજણ સહિતના વિસ્તારોને 'નો-કેટલ ઝોન' જાહેર કર્યા છે, જ્યાં ઢોર રખડતાં મૂકવા પર પ્રતિબંધ રહેશે. નિયમ ભંગ કરનાર પશુપાલકો સામે પોલીસ કાર્યવાહી થશે. આગામી 60 દિવસમાં તમામ પશુઓનું રજિસ્ટ્રેશન તથા RFID ટેગ ફરજિયાત બનાવાયું છે. જાહેર રસ્તાઓ પર ઘાસચારાનું વેચાણ અને પશુઓને ઘાસ નાખવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
અમદાવાદમાં રખડતાં ઢોરના ત્રાસને ડામવા કવાયત!
ગુજરાતમાં 5 વર્ષમાં ₹13,600 કરોડના ડ્રગ્સ જપ્ત!
છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતમાંથી ₹13,600 કરોડના ડ્રગ્સ ઝડપાયા છે, તેમ છતાં યુવાનોમાં નશાખોરીનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. પંજાબ, રાજસ્થાન અને દિલ્હીથી ચાલતા ડ્રગ્સના નેટવર્કમાં ગુજરાતના દરિયાકાંઠાનો ઉપયોગ રોકવામાં સફળતા મળી હોવા છતાં, સ્થાનિક સ્તરે ડ્રગ્સનું વેચાણ અને સેવન વધી રહ્યું છે. છેલ્લા 10 વર્ષમાં ડ્રગ્સ-દારૂના દુરુપયોગથી 711 લોકોએ આત્મહત્યા કરી છે અને 37 લોકોના ઓવરડોઝથી મૃત્યુ થયા છે. ડ્રગ્સ ફ્રી સ્ટેટ બનાવવા માટે રાજ્ય પોલીસ દ્વારા છ એન્ટિ નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સની રચના કરાઈ છે, જે સ્થાનિક વેચાણ પર નિયંત્રણ મેળવશે.
ગુજરાતમાં 5 વર્ષમાં ₹13,600 કરોડના ડ્રગ્સ જપ્ત!
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન(AMC)ના અધિકારીઓની બાજી ઊંધી પડી
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીએ શહેર વિકાસ માટે અનેક મહત્વના નિર્ણયો લીધા છે. સિંધુભવન રોડનું મલ્ટી લેવલ પાર્કિંગ પ્રથમવાર 99 વર્ષના ભાડાપટ્ટાને બદલે કાયમી વેચાણ માટે વિચારણા હેઠળ છે. અસારવાના EWS ક્વાર્ટર્સમાં ગેરકાયદે કબજેદારો સામે કડક કાર્યવાહી કરાશે. વધતા શહેરીકરણને ધ્યાનમાં રાખી પોરાનાશક કામગીરી માટે સ્ટાફ વધારાયો છે. ઉપરાંત, સાબરમતી રિવરફ્રન્ટ પર ડૉ. શ્યામાપ્રસાદ મુખરજીની પ્રતિમા સ્થાપવાની અને 53 વર્ષ જૂના સુભાષ બ્રિજને આધુનિક રીતે પુનઃનિર્માણ કરવાની જાહેરાત કરવામાં આવી છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન(AMC)ના અધિકારીઓની બાજી ઊંધી પડી
ગિફ્ટ સિટીમાં દારૂ સસ્તો, પણ બજારમાં બ્લેકમાં ભાવ બમણા
ગુજરાત સરકારે ગિફ્ટ સિટીમાં વિદેશી દારૂ પર વેટ નાબુદ કરતાં ભાવ ઘટશે. જોકે, ગેરકાયદેસર બજારમાં ઈંગ્લિશ અને દેશી દારૂના ભાવ છેલ્લા ચાર વર્ષમાં બમણા થઈ ગયા છે. બુટલેગરો મનફાવે તેમ ભાવ વધારી રહ્યા છે. 2023માં ₹600-800માં મળતી બોટલ 2026 સુધીમાં ₹1200-1500 સુધી પહોંચી ગઈ છે. દેશી દારૂની 1 લિટર કોથળી ₹200 સુધી પહોંચી છે, જે ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોને આર્થિક રીતે બરબાદ કરી રહી છે.
ગિફ્ટ સિટીમાં દારૂ સસ્તો, પણ બજારમાં બ્લેકમાં ભાવ બમણા
ગોલ્ડ લોનની માંગમાં ૮૪%નો વધારો!
ભારતમાં ગોલ્ડ લોનનું બજાર ઝડપથી વિસ્તરી રહ્યું છે. સોનાના વધતા ભાવ, મોટી લોનની માંગ અને બેંકો તેમજ એનબીએફસીની વધતી ભાગીદારી તેના મુખ્ય કારણો છે. હવે ગોલ્ડ લોન માત્ર કટોકટી માટે નહીં, પરંતુ રોજિંદી નાણાકીય જરૂરિયાતો માટે પણ લેવામાં આવી રહી છે. નાણાકીય વર્ષ 2023 થી 2026 દરમિયાન સરેરાશ ગોલ્ડ લોન રૂ. 98 હજારથી વધીને રૂ. 1.96 લાખ થઈ છે. દક્ષિણ ભારત ઉપરાંત ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં પણ ગોલ્ડ લોનની માંગમાં નોંધપાત્ર વધારો થયો છે.
ગોલ્ડ લોનની માંગમાં ૮૪%નો વધારો!
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી
રાજ્યમાં અસહ્ય ગરમી વચ્ચે હવામાન વિભાગે રાહતના સમાચાર આપ્યા છે. 'અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન' સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતમાં ચોમાસું પુનઃ સક્રિય થયું છે. આગામી ત્રણ કલાકમાં દક્ષિણ ગુજરાતના ઉમરગામ, દમણ, વલસાડ, સુરત, બીલીમોરા જેવા વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે. પડોશી મુંબઈમાં પણ અતિભારે વરસાદની ચેતવણી છે, જેની અસર વલસાડ પર પડશે. અરબી સમુદ્રમાં નવી સિસ્ટમથી સૌરાષ્ટ્રમાં પણ સાર્વત્રિક ભારે વરસાદ પડી શકે છે.
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી
ગુજરાતમાં લોકસભાની વધીને 39 અને વિધાનસભાની 273 બેઠકો થઈ શકે
આગામી સીમાંકન અને નારી શક્તિ વંદન અધિનિયમના અમલ બાદ ગુજરાતના રાજકીય નકશામાં મોટા ફેરફારો થઈ શકે છે. રાજ્યમાં લોકસભાની બેઠકો 26થી વધીને 39-40 અને વિધાનસભાની બેઠકો 182થી વધીને આશરે 273 થવાની શક્યતા છે. અમદાવાદ, સુરત, ગાંધીનગર, રાજકોટ સહિત મોટા શહેરોમાં નવી બેઠકો ઉમેરાઈ શકે છે. મહિલા અનામત અમલમાં આવતાં લોકસભા અને વિધાનસભાની 33 ટકા બેઠકો મહિલાઓ માટે અનામત થશે. જોકે અંતિમ નિર્ણય વસ્તી ગણતરી, સીમાંકન આયોગની ભલામણો અને સંસદની મંજૂરી બાદ લેવાશે.
ગુજરાતમાં લોકસભાની વધીને 39 અને વિધાનસભાની 273 બેઠકો થઈ શકે
ગુજરાતમાં પકડાયેલી 4 બાંગ્લાદેશી યુવતીઓના શોકિંગ કિસ્સા
'ઓપરેશન ડેલ્ટા હન્ટ' હેઠળ ગુજરાત પોલીસે ઝડપાયેલા બાંગ્લાદેશી ઘૂસણખોરોના કિસ્સાઓમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. એજન્ટોના નેટવર્કની મદદથી યુવતીઓ વિઝા-પાસપોર્ટ વિના ભારત પ્રવેશી નકલી નામ અને ઓળખ સાથે ગુજરાત સહિત વિવિધ શહેરોમાં ડાન્સ બાર, મજૂરી અને ઇમિટેશન જ્વેલરીના કારખાનામાં કામ કરતી હતી. કેટલીકએ સ્થાનિકો સાથે લગ્ન પણ કર્યા, જ્યારે એક યુવતીએ કિન્નરોના ટોળા સાથે બોર્ડર પાર કરી હતી. પોલીસ તપાસમાં ગેરકાયદે નાણાં ટ્રાન્સફર નેટવર્ક અને ઘૂસણખોરીની સમગ્ર મોડસ ઓપરેન્ડીનો પર્દાફાશ થયો છે.
ગુજરાતમાં પકડાયેલી 4 બાંગ્લાદેશી યુવતીઓના શોકિંગ કિસ્સા
રાજકોટ ડિમોલિશન: 12 લાખના મિનરલ વોટર અને 27 લાખના ભોજનનો ખર્ચ વિવાદ.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જંગલેશ્વર વિસ્તારમાં કરાયેલા મેગા ડિમોલિશન બાદ અધિકારીઓ હવે 27 લાખના ભોજન બિલના વિવાદમાં ઘેરાયા છે. આ બિલમાં સમોસા, કાજુકતરી જેવી વાનગીઓનો સમાવેશ થાય છે. નવાઈની વાત એ છે કે, 12 લાખ રૂપિયાના મિનરલ વોટરના ખર્ચને આ બિલમાંથી છુપાવવામાં આવ્યો હતો. ભાસ્કર ઇન્વેસ્ટિગેશન દ્વારા પાણીના આ તોતિંગ બિલના પુરાવા સાથે આ ગોઠવણનો પર્દાફાશ થયો છે. આ સમગ્ર મામલો હાલ સ્ટેન્ડિંગ કમિટીમાં અટકાવવામાં આવ્યો છે.
રાજકોટ ડિમોલિશન: 12 લાખના મિનરલ વોટર અને 27 લાખના ભોજનનો ખર્ચ વિવાદ.
ચૈતર વસાવાને સજા પછી હવે શું?
ચૈતર વસાવાને વનકર્મીઓ પર હુમલાના કેસમાં 7 વર્ષની સજા થતાં તેમના ધારાસભ્યપદ પર સંકટ ઊભું થયું છે. સ્ટે ન મળે તો સભ્યપદ રદ થઈ શકે છે, જ્યારે આમ આદમી પાર્ટી હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી લડવાની તૈયારીમાં છે. રાજકીય વિશ્લેષકો આ ઘટનાને મધ્ય ગુજરાતના રાજકારણમાં મોટું વળાંક ગણાવી રહ્યા છે. જો બેઠક ખાલી થશે તો પેટાચૂંટણી યોજાશે. આ સમગ્ર મામલો 2027ની વિધાનસભા ચૂંટણી પહેલાં આદિવાસી પટ્ટાના રાજકારણ પર લાંબા ગાળાની અસર કરી શકે છે.
ચૈતર વસાવાને સજા પછી હવે શું?
રાજ્યસભા સાંસદનું નસવાડી ખાતે તાલુકા પ્રા. શિક્ષક સંઘ દ્વારા સન્માન
છોટાઉદેપુરના નસવાડીમાં યોજાયેલા શાળા પ્રવેશોત્સવ દરમિયાન રાજ્યસભાના સાંસદ મુકેશભાઈ રાઠવાનું પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શિક્ષક સંઘે TET પરીક્ષા મુદ્દે આવેદનપત્ર આપી સુપ્રીમ કોર્ટના તાજેતરના ચુકાદાથી સેવારત શિક્ષકોમાં અસંતોષ હોવાનું રજૂ કર્યું હતું. સંઘે જણાવ્યું કે ફરજિયાત TETના નિર્ણયથી અનુભવી શિક્ષકોની નોકરી અને બઢતી પર અસર થશે. સરકારે તાત્કાલિક નીતિગત ઉકેલ લાવી શિક્ષકોના હિતોનું રક્ષણ કરે તેવી માંગ કરવામાં આવી.