વડોદરા રેલવે સ્ટેશન પર 30 જૂને સિગ્નલિંગ સિસ્ટમ થશે અપગ્રેડ
વડોદરા રેલવે સ્ટેશન પર 30 જૂને સિગ્નલિંગ સિસ્ટમ થશે અપગ્રેડ
Published on: 26th June, 2026

પશ્ચિમ રેલવે વડોદરા સ્ટેશનની સંચાલન ક્ષમતા વધારવા માટે યાર્ડ રિમોડેલિંગની કામગીરી કરી રહ્યું છે. મંડળ રેલ પ્રબંધક રાજુ ભડકેએ કામગીરીની સમીક્ષા કરી અને 30 જૂને નોન-ઇન્ટરલોકિંગનું કામ શરૂ થવાની માહિતી આપી. ત્યારબાદ સિગ્નલિંગ સિસ્ટમ અપગ્રેડ થશે. મુસાફરોની સુવિધા માટે પ્લેટફોર્મ નં. 4 અને 5ની લંબાઈ વધારી 22 કોચની ટ્રેનો ચલાવી શકાશે. કામગીરીને કારણે હાલ પ્લેટફોર્મ નં. 5 અને 6 પરથી ટ્રેન સંચાલન અસ્થાયી રીતે બંધ રાખવામાં આવ્યું છે.