NRI લાફાકાંડ બાદ MLA દ્વારા રોડનું કામ અટકાવ્યું
NRI લાફાકાંડ બાદ MLA દ્વારા રોડનું કામ અટકાવ્યું
Published on: 24th February, 2026

અમરાઈવાડીના MLA ડો.હસમુખ પટેલ NRI યુવકને માર મારવાના વિવાદમાં આવ્યા બાદ, ભાજપના હોદ્દેદાર સાથે અણબનાવ થતા રોડનું કામ અટકાવ્યું. ધારાસભ્યએ 9 સોસાયટીમાં ખાતમુહૂર્ત કર્યું પરંતુ ભાજપના યુવા મોરચાના પ્રમુખની સોસાયટીમાં કામ અટકાવતા આંતરિક વિખવાદ સામે આવ્યો. ચેરમેનને ઓફિસે લેટરપેડ લઈને બોલાવ્યા. મ્યુનિસિપલ કોર્પોરેશનના એડિશનલ સિટી ઈજનેરે જણાવ્યું કે ધારાસભ્યના બજેટથી કામ થવાનું હોવાથી ખાતમુહૂર્ત પછી કામ શરૂ થશે.