ગુજરાતના દરિયામાં ડોલ્ફિનની સંખ્યા 680 પાર!
ગુજરાતના દરિયામાં ડોલ્ફિનની સંખ્યા 680 પાર!
Published on: 20th June, 2026

ગુજરાતના દરિયાઈ સંરક્ષણના પ્રયાસોને કારણે ડોલ્ફિનની વસ્તીમાં નોંધપાત્ર વધારો થયો છે. 2025ની ગણતરી મુજબ, 4,087 ચોરસ કિલોમીટરના દરિયાઈ વિસ્તારમાં 680થી વધુ ડોલ્ફિન નોંધાઈ છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના શિવરાજપુર અને પોશિત્રા ડોલ્ફિન જોવા માટે 'બેસ્ટ સ્પોટ' તરીકે ઉભરી આવ્યા છે, જ્યાં સ્વચ્છ પાણીને કારણે ડોલ્ફિન સરળતાથી દેખાય છે. કચ્છના અખાતથી ભાવનગર સુધી ડોલ્ફિનનું વસવાટ છે, અને મરીન નેશનલ પાર્ક તેનું મુખ્ય ઘર બન્યું છે. ડોલ્ફિનનો શિકાર વન્યજીવ સંરક્ષણ કાયદા હેઠળ બિન-જામિનપાત્ર ગુનો છે.