ગુજરાતમાં છેલ્લા 4 વર્ષમાં 1,063 વિદ્યાર્થીઓએ કરી આત્મહત્યા
ગુજરાતમાં છેલ્લા 4 વર્ષમાં 1,063 વિદ્યાર્થીઓએ કરી આત્મહત્યા
Published on: 21st June, 2026

ગુજરાતમાં વિદ્યાર્થીઓની આત્મહત્યાનો ચોંકાવનારો આંકડો સામે આવ્યો છે. છેલ્લા 4 વર્ષમાં 1,063 વિદ્યાર્થીઓએ જીવ ગુમાવ્યો છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ સરકારની શિક્ષણ નીતિ, પેપર લીક અને રોજગારીની અનિશ્ચિતતા સામે સવાલો ઉઠાવ્યા છે. વિપક્ષના મતે, શિક્ષણમાં ઉઘાડી લૂંટ, પરીક્ષાનું દબાણ અને બેરોજગારી યુવાનોને માનસિક તણાવ તરફ ધકેલી રહ્યા છે. NCRBના આંકડા મુજબ, 2019-2024 દરમિયાન દેશમાં 18 વર્ષથી ઓછી ઉંમરના 63,915 બાળકોએ આત્મહત્યા કરી છે, જે દરરોજ 40થી વધુ છે.