ભારતીય નૌસેનામાં 3 શક્તિશાળી યુદ્ધજહાજો સામેલ
ભારતીય નૌસેનામાં 3 શક્તિશાળી યુદ્ધજહાજો સામેલ
Published on: 21st June, 2026

ભારતીય નૌસેનાએ તેની દરિયાઈ સુરક્ષાને વધુ મજબૂત કરવા માટે એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. PM નરેન્દ્ર મોદીની હાજરીમાં INS દૂનાગિરી, INS સંશોધક અને INS અગ્રય નામના ત્રણ અત્યાધુનિક સ્વદેશી યુદ્ધજહાજોને નૌસેનામાં સામેલ કરવામાં આવ્યા છે. આ જહાજો સંપૂર્ણપણે ભારતમાં જ ડિઝાઇન અને નિર્મિત છે. આ નવા જહાજો ઉમેરાવાથી હિંદ મહાસાગર ક્ષેત્રમાં ભારતની વ્યૂહાત્મક સ્થિતિ વધુ મજબૂત બનશે અને નૌસેનાની સક્રિય યુદ્ધજહાજોની સંખ્યામાં વધારો થશે.