ભારતે T20 વર્લ્ડ કપ જીતતા ગીર સોમનાથમાં દિવાળી જેવો માહોલ: ફટાકડા અને નારાથી ઉજવણી.
ભારતે T20 વર્લ્ડ કપ જીતતા ગીર સોમનાથમાં દિવાળી જેવો માહોલ: ફટાકડા અને નારાથી ઉજવણી.
Published on: 09th March, 2026

ભારતીય ટીમે T20 વર્લ્ડ કપ જીતતા દેશભરમાં આનંદ છવાયો. ગીર સોમનાથના વેરાવળમાં દિવાળી જેવો માહોલ હતો. ટાવર ચોક પર યુવાનો ઉમટ્યા, તિરંગા લહેરાવ્યા અને ફટાકડા ફોડી "ભારત માતા કી જય" ના નારા લગાવ્યા. આ જીતની ખુશીમાં યુવાનોએ મીઠાઈ વહેંચી અને બાઈક રેલી પણ યોજી.