અમદાવાદ સ્ટેશન પર 3 મહિના માટે જોધપુર-હડપસર ટ્રેનનું સ્ટોપેજ બંધ, સાબરમતી સ્ટેશન પર રોકાશે
અમદાવાદ સ્ટેશન પર 3 મહિના માટે જોધપુર-હડપસર ટ્રેનનું સ્ટોપેજ બંધ, સાબરમતી સ્ટેશન પર રોકાશે
Published on: 19th August, 2026

અમદાવાદ રેલવે સ્ટેશનના પુનર્વિકાસ કાર્યને કારણે Jodhpur Hadapsar Express (ટ્રેન નંબર 20495/20496) હવે અમદાવાદ સ્ટેશનને બદલે સાબરમતી સ્ટેશન પર રોકાશે. આ ફેરફાર 21 ઓગસ્ટથી 21 નવેમ્બર 2026 સુધી, એટલે કે 3 મહિના માટે લાગુ રહેશે. પશ્ચિમ રેલવે દ્વારા પ્લેટફોર્મની મર્યાદિત ઉપલબ્ધતાને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદ આવતા-જતા મુસાફરોએ આ સ્ટોપેજ ફેરફારની ખાસ નોંધ લેવી. ટ્રેન સાબરમતી સ્ટેશન પર નિર્ધારિત સમયે ઊભી રહેશે.