સરકારી યોજનાઓ અને સબસિડીથી ઓડદર ગામના દંપતી બન્યા આત્મનિર્ભર
પોરબંદરના ઓડદર ગામે રહેતા વિરલબેન અને પંકજભાઈ લખતરીયાએ 'કલ્પવૃક્ષ ઓર્ગેનિક કોયર હબ' સ્થાપી સરકારી યોજનાઓનો લાભ લઈને આત્મનિર્ભરતા મેળવી છે. નાળિયેરના કચરામાંથી કોકોપીટ, કાથી અને મોસ સ્ટીકનું ઉત્પાદન કરી રોજગારીનું સર્જન કર્યું છે. આધુનિક મશીનરી દ્વારા બનેલા આ ઉત્પાદનોની કૃષિ અને બાગાયત ક્ષેત્રે વૈશ્વિક માંગ છે. વ્યાજ, કેપિટલ, ભાડા અને પાવર કનેક્શન સબસિડી જેવી સરકારી સહાયને કારણે આ શક્ય બન્યું છે.
સરકારી યોજનાઓ અને સબસિડીથી ઓડદર ગામના દંપતી બન્યા આત્મનિર્ભર
ભારત-યુકે FTA લાગુ: કાર, વ્હિસ્કી, કપડાં થશે સસ્તા
ભારત અને યુકે વચ્ચેનો ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) આજથી લાગુ થયો છે. આ કરાર હેઠળ, યુકેથી આયાત થતી કાર, વ્હિસ્કી, કપડાં અને ફૂટવેર જેવી વસ્તુઓ સસ્તી બનશે, કારણ કે આયાત ટેરિફમાં નોંધપાત્ર ઘટાડો કરવામાં આવશે. બીજી તરફ, ભારતના 99% ઉત્પાદનોને યુકેમાં ઝીરો ટેરિફ પર નિકાસ કરવાની તક મળશે. આ કરારથી બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય વેપાર 2030 સુધીમાં $120 બિલિયન સુધી પહોંચવાની અપેક્ષા છે. આ ઐતિહાસિક કરાર દ્વારા અનેક ક્ષેત્રોને ફાયદો થશે અને અર્થતંત્રને વેગ મળશે.
ભારત-યુકે FTA લાગુ: કાર, વ્હિસ્કી, કપડાં થશે સસ્તા
કાન્તિ ભટ્ટ: લખવા માટે જીવ્યા, જીવવા માટે લખ્યું, ગુજરાતી પત્રકારત્વના ભીષ્મપિતામહ
ગુજરાતી પત્રકારત્વના ભીષ્મપિતામહ સમા કાન્તિ ભટ્ટ, જેમણે 95 વર્ષની વયે વિદાય લીધી, તેઓ આજે પણ તેમના શબ્દો થકી વાચકોનાં હૃદયમાં જીવંત છે. તેમણે ‘નેવાનાં પાણી મોઢે ચડાવવાં’ જેવું પત્રકારત્વ કર્યું, જ્યાં અંગ્રેજી અખબારોમાંથી ઉતારા થતા ત્યારે તેઓ સમાચારો જાતે શોધીને લાવતા. અમિતાભ બચ્ચનના 'કુલી' ફિલ્મના શૂટિંગ દરમિયાન ઈજા અને દાઉદ ઇબ્રાહીમ સંબંધિત હાઇ-પ્રોફાઇલ સ્ટોરીઝ સહિત અનેક બ્રેકિંગ ન્યૂઝ તેમણે આપ્યા. અનેક ઉપનામો હેઠળ લખતા, તેમણે 'ચિત્રલેખા'નો આખો અંક પણ લખ્યો હતો.
કાન્તિ ભટ્ટ: લખવા માટે જીવ્યા, જીવવા માટે લખ્યું, ગુજરાતી પત્રકારત્વના ભીષ્મપિતામહ
નાના વેપાર-ધંધા માટે સાયબર સિક્યોરિટી
ભારતમાં MSME દેશના અર્થતંત્રની કરોડરજ્જુ છે. ડિજિટલ થવાથી ફાયદો થયો છે, પરંતુ સાયબર ગુનેગારો એક ખતરનાક દુશ્મન બન્યા છે. નાના વેપારીઓ "મારો બિઝનેસ નાનો છે" એમ વિચારીને મોટી ભૂલ કરે છે, કારણ કે તેઓ હેકર્સ માટે ‘સોફ્ટ ટાર્ગેટ’ બની જાય છે. રેન્સમવેર, ફિશિંગ, અને સપ્લાય ચેન પર એટેક જેવા ડિજિટલ ખતરા MSME માટે ગંભીર છે. નુકસાન માત્ર રૂપિયાનું નથી, પણ આબરૂનું પણ થાય છે. બચવા માટે કર્મચારીઓને તાલીમ, ટુ-ફેક્ટર ઓથેન્ટિકેશન, ડેટા બેકઅપ, અને સિસ્ટમ અપડેટ ખૂબ જરૂરી છે. સાયબર સિક્યોરિટીને ખર્ચ નહીં, પણ રોકાણ સમજો.
નાના વેપાર-ધંધા માટે સાયબર સિક્યોરિટી
વિનોદ ગણાત્રા: ગુજરાતનું આંતરરાષ્ટ્રીય ગૌરવ
નેલ્સન મંડેલા ડે નિમિત્તે, બાળકોના સિનેમા ક્ષેત્રે યોગદાન બદલ પ્રતિષ્ઠિત ‘નેલ્સન મંડેલા લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડ’ મેળવનાર પ્રથમ ભારતીય ફિલ્મ સર્જક વિનોદ ગણાત્રાની અનોખી સિદ્ધિ નોંધનીય છે. તેમણે અમેરિકાનો ‘લિવ ઉલમન પીસ પ્રાઇઝ’ પણ મેળવ્યો છે. 40થી વધુ પુરસ્કારો મેળવી ચૂકેલા ગણાત્રા, 111થી વધુ ફિલ્મ મહોત્સવોમાં જ્યુરી સભ્ય તરીકે સેવા આપનાર એકમાત્ર ભારતીય ફિલ્મ સર્જક છે. તેમની ગુજરાતી ફિલ્મો ‘હેડા-હોડા’ અને ‘હારુન–અરૂણ’એ આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રશંસા મેળવી છે.
વિનોદ ગણાત્રા: ગુજરાતનું આંતરરાષ્ટ્રીય ગૌરવ
ડૉ. પ્રાણજીવનદાસ મહેતા: હિન્દ સ્વરાજથી આઝાદ હિન્દ ફોજ સુધીની યાત્રા
ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના અને વિકાસમાં ડૉ. પ્રાણજીવન મહેતાનું યોગદાન અમૂલ્ય છે, જેમણે તેના ભવન નિર્માણ માટે સૌથી મોટું દાન આપ્યું. લંડનમાં અભ્યાસ દરમિયાન તેઓ ઇન્ડિયા હાઉસના ક્રાંતિકારીઓના સંપર્કમાં આવ્યા અને 'હિન્દ સ્વરાજ' પુસ્તકના પ્રશ્નકર્તા બન્યા. તેમના જીવનનો બીજો મહત્વપૂર્ણ પડાવ મ્યાનમારમાં નેતાજી સુભાષચંદ્ર બોઝની આઝાદ હિન્દ ફોજમાં તેમનું સક્રિય યોગદાન હતું. તેમના પરિવારના સભ્યો પણ આઝાદી સંગ્રામમાં જોડાયા હતા, જે ગુજરાતીઓના અસામાન્ય યોગદાનનું પ્રતીક છે.
ડૉ. પ્રાણજીવનદાસ મહેતા: હિન્દ સ્વરાજથી આઝાદ હિન્દ ફોજ સુધીની યાત્રા
રાજકોટમાં ભગવાન જગન્નાથની 26 કિમી લાંબી રથયાત્રા
રાજકોટ શહેરમાં 19 વર્ષની પરંપરા જાળવીને, ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા સાથે 26 કિમી લાંબી ભવ્ય રથયાત્રાએ નીકળશે. આવતીકાલે, 16મી જુલાઈના રોજ સવારે 8 વાગ્યે મંદિરેથી પ્રારંભ થનાર આ યાત્રામાં વૃંદાવનની રાસમંડળી અને અઘોરી મંડળી મુખ્ય આકર્ષણ રહેશે. 1800થી વધુ પોલીસ જવાનો સુરક્ષા માટે તૈનાત રહેશે, જ્યારે વિવિધ સંસ્થાઓ દ્વારા પ્રસાદ અને સ્વાગતની તૈયારીઓ કરવામાં આવી છે. આ ઐતિહાસિક રથયાત્રા શહેરના અનેક વિસ્તારોમાંથી પસાર થશે.
રાજકોટમાં ભગવાન જગન્નાથની 26 કિમી લાંબી રથયાત્રા
સાપ: કૃષિ ક્રાંતિનો મહત્વનો ભાગીદાર અને કુદરતી પેસ્ટ કંટ્રોલર
આવતીકાલે 'વિશ્વ સાપ દિવસ'ની ઉજવણી થશે. વિશ્વમાં 3,500 થી વધુ સાપની પ્રજાતિઓ છે, જેમાંથી માત્ર 600 જ ઝેરી છે. મોટાભાગના સાપ બિન-ઝેરી છે અને માનવજાત માટે હાનિકારક નથી. ભારત, 300 થી વધુ સાપ પ્રજાતિઓ સાથે, વિવિધતાનો ખજાનો છે. ગુજરાતના 'બિગ ફોર' - નાગ, કાળોતરો, ખડચિતડો, અને ફુરસો - સૌથી ઝેરી ગણાય છે. સાપ ઉંદર જેવા જીવાતોને નિયંત્રિત કરીને ખેડૂતોના પાકનું રક્ષણ કરે છે, આમ પર્યાવરણનું સંતુલન જાળવે છે. સાપ કરડવાના કિસ્સામાં, શાંત રહેવું, હલનચલન બંધ કરવું અને તાત્કાલિક એન્ટી-વેનમ માટે હોસ્પિટલ જવું જરૂરી છે.
સાપ: કૃષિ ક્રાંતિનો મહત્વનો ભાગીદાર અને કુદરતી પેસ્ટ કંટ્રોલર
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો ખતરો: 12 બાળકોના મોત
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસ ફરી હાહાકાર મચાવી રહ્યો છે. આ વાયરસના કારણે અત્યાર સુધીમાં 12 બાળકોના મોત થયા છે, જે ચિંતાનો વિષય છે. આ ખતરનાક વાયરસ શરીરમાં સેન્ડ ફ્લાય (ભૂરા રંગની જીણી માખી) દ્વારા પ્રવેશે છે. શું આ માખી માત્ર ગામડાઓમાં જ જોવા મળે છે કે શહેરોમાં પણ તેનો ફેલાવો થઈ શકે છે? આ અંગે ચાર નિષ્ણાતોના મત અલગ-અલગ છે, જે ચર્ચાનો મુખ્ય મુદ્દો બન્યો છે.
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો ખતરો: 12 બાળકોના મોત
બંધ રૂમમાં કંચન અને ત્રિકમ વચ્ચે થયેલી ઘટના: CCTVમાં ચોરી, હત્યા અને પસ્તાવો
પોરબંદરની કંચન ગુમ થયા બાદ પાડોશી ત્રિકમ પણ ગાયબ હતો. બાદમાં ત્રિકમ ચોટીલામાં ગળું કપાયેલી હાલતમાં મળ્યો. પોલીસ ત્રિકમના ઘરે પહોંચી તો ત્યાં ગળું કપાયેલી હાલતમાં કંચનની લાશ મળી. CCTVમાં ત્રિકમ લોહીથી ખરડાયેલી છરી સાફ કરતો દેખાયો, જેના પરથી પોલીસને કંચનની હત્યાનો ખુલાસો થયો. ત્રિકમે આયોજનપૂર્વક કંચનને મોતને ઘાટ ઉતારી પોતાના પરિવારને બોટાદ મોકલી દીધો હતો. કંચન ગર્ભવતી હોવાનું નાટક કરતી હતી. ત્રિકમની પત્નીના જણાવ્યા મુજબ, ત્રિકમ અને કંચન પ્રેમમાં હતા. ત્રિકમે હત્યા બાદ આત્મહત્યા કરી હતી.
બંધ રૂમમાં કંચન અને ત્રિકમ વચ્ચે થયેલી ઘટના: CCTVમાં ચોરી, હત્યા અને પસ્તાવો
ભારત-UK CETA હેઠળ સૌરાષ્ટ્રનું પ્રથમ નિકાસ કન્ટેનર UK માટે રવાના
ભારત અને યુનાઇટેડ કિંગડમ (UK) વચ્ચે ઐતિહાસિક કોમ્પ્રિહેન્સિવ ઇકોનોમિક એન્ડ ટ્રેડ એગ્રીમેન્ટ (CETA) અમલમાં આવતાં સૌરાષ્ટ્રના નિકાસ ક્ષેત્રે નવો અધ્યાય શરૂ થયો છે. આ કરાર હેઠળ, રાજકોટ સ્થિત અન્નપૂર્ણા યુનિવર્સલ ફૂડ્સ પ્રા. લિ. દ્વારા રૂ. 25 લાખના ડ્રાય સ્નેક્સનું 40 ટનનું પ્રથમ કન્ટેનર યુકે જવા રવાના થયું છે. ડીજીએફટી (DGFT)ના સંયુક્ત નિયામક રોહિત સોનીએ આ પ્રસંગે લીલી ઝંડી આપી કન્ટેનરને પ્રસ્થાન કરાવ્યું. આ CETA કરાર હેઠળ યુકેમાં ભારતમાંથી નિકાસ થતી 99 ટકા પ્રોડક્ટ્સ પર આયાત જકાત નાબૂદ કરવામાં આવી છે.
ભારત-UK CETA હેઠળ સૌરાષ્ટ્રનું પ્રથમ નિકાસ કન્ટેનર UK માટે રવાના
ભરૂચમાં કાલે જગન્નાથ રથયાત્રા: પોલીસ એલર્ટ, શાંતિ સમિતિની બેઠક યોજાઈ
ભરૂચમાં ૧૬મી જુલાઈએ યોજાનારી ભગવાન જગન્નાથજીની ઐતિહાસિક રથયાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે જિલ્લા પોલીસ તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. આ સંદર્ભે જિલ્લા પોલીસવડા અક્ષયરાજ મકવાણાની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં બંને સમાજના આગેવાનો અને સંસ્થાઓના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. રથયાત્રાના રૂટ, ટ્રાફિક, સુરક્ષા અને કોમી એકતા જેવા મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા થઈ. મુસ્લિમ સમાજ દ્વારા રથયાત્રાનું સ્વાગત કરાશે. સુરક્ષા માટે વિશેષ ટીમો તૈનાત રહેશે અને ફ્લેગ માર્ચ યોજાશે.
ભરૂચમાં કાલે જગન્નાથ રથયાત્રા: પોલીસ એલર્ટ, શાંતિ સમિતિની બેઠક યોજાઈ
ડભોઇમાં રથયાત્રા શાંતિપૂર્ણ ઉજવણી માટે શાંતિ સમિતિની યોજાઇ બેઠક
ડભોઇ શહેરમાં 16 તારીખે કે બદ્રીનારાયણ મંદિરેથી ભગવાન જગન્નાથજીની ભવ્ય શોભાયાત્રા નીકળશે. આ યાત્રા સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં યોજાય તે માટે ડભોઇ તાલુકા સેવા સદન ખાતે શાંતિ સમિતિની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઇ હતી. જેમાં ધારાસભ્ય અધ્યક્ષ સ્થાને હતા. બેઠકમાં DySp, PI, ચીફ ઓફ્સર, નગરપાલિકા પ્રમુખ, વિવિધ ધર્મોના આગેવાનો અને મંદિરના ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ડભોઇમાં રથયાત્રા શાંતિપૂર્ણ ઉજવણી માટે શાંતિ સમિતિની યોજાઇ બેઠક
પંચમહાલમાં 9મી ઓગસ્ટે વિશ્વ આદિવાસી દિન ઉજવવા બેઠ3 યોજાઇ
આગામી 9 ઓગસ્ટ અને વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીના ભાગરૂપે ટીસી કાપડિયા કોલેજ ખાતે આદિવાસી આગેવાનોની બેઠ3 યોજાઇ હતી. જેમાં ઉજવણીને ભવ્ય અને સફ્ળ બનાવવા માટે વિવિધ મુદ્દા પર વિસ્તૃત ચર્ચા કરાઇ હતી. જેના આયોજન માટે સોસાયટીવાઇઝ ફળો એકત્રિત કરવાની, ગત વર્ષનો ખર્ચ વધેલ ફળો તેમજ આ વર્ષનું આયોજન કરાયું હતું. આદિવાસી સમાજના વિવિધ આગેવાનો કાર્યકરો તેમજ યુવાનોને કાર્યક્રમ સંબંધિત જવાબદારી સોંપાઇ હતી.
પંચમહાલમાં 9મી ઓગસ્ટે વિશ્વ આદિવાસી દિન ઉજવવા બેઠ3 યોજાઇ
વડોદરાના કરજણ પોલીસ દ્વારા રથયાત્રાની સુરક્ષા માટે સઘન ફૂટ પેટ્રોલિંગ હાથ ધરાયું
કરજણ શહેરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા શાંતિપૂર્ણ અને સુરક્ષિત રીતે સંપન્ન થાય તે માટે કરજણ પોલીસ દ્વારા નગરના મુખ્ય માર્ગો પર સઘન ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું. PI બી. એમ. પટેલના નેતૃત્વ હેઠળ પોલીસ ટીમે વિવિધ વિસ્તારોમાં પેટ્રોલિંગ કરીને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી. પોલીસે વેપારીઓ અને નાગરિકો સાથે સંવાદ સાધી કાયદો-વ્યવસ્થા જાળવવા અને શંકાસ્પદ પ્રવૃત્તિ અંગે તાત્કાલિક જાણ કરવા અપીલ કરી. સમગ્ર યાત્રામાર્ગ પર પોલીસ બંદોબસ્ત જાળવવામાં આવશે.
વડોદરાના કરજણ પોલીસ દ્વારા રથયાત્રાની સુરક્ષા માટે સઘન ફૂટ પેટ્રોલિંગ હાથ ધરાયું
છોટાઉદેપુરની પ્રગ્યા રણાએ ઈન્ડિયન ટેલેન્ટ ઓલિમ્પિયાડમાં સ્ટેટ લેવલે ટોપર બની
બોડેલી ખાતે સફયર પબ્લિક સ્કૂલમાં 13માં ઈન્ડિયન ટેલેન્ટ ઓલિમ્પિયાડના વિજેતા વિદ્યાર્થીઓનું સન્માન સમારોહ યોજાયો હતો. પ્રાયમરી સેકશનની વિદ્યાર્થિની પ્રગ્યા રણાએ સ્ટેટ લેવલ 3માં સ્ટેટ ટોપર સ્કોર કરી ઉત્કૃષ્ટ સિદ્ધિ હાંસલ કરી હતી. તેને એકસેલેન્ટ એવોર્ડ, સ્કોલરશીપ, ચેક અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાઈ. શાળાના ટ્રસ્ટી રાહુલ ઈસરાની, હેડ મિનિસ્ટ્રેસ સ્મિતા સેન અને જજ ધાસુરા સાહેબે પુરસ્કાર અર્પણ કર્યા. છોટાઉદેપુર જિલ્લા રાજપૂત સમાજ દ્વારા પણ પ્રગ્યાને અભિનંદન પાઠવાયા.
છોટાઉદેપુરની પ્રગ્યા રણાએ ઈન્ડિયન ટેલેન્ટ ઓલિમ્પિયાડમાં સ્ટેટ લેવલે ટોપર બની
છોટાઉદેપુર: નસવાડી તાલુકાના કડવાં ગામ પાસે કેનાલ રોડ પર દેખાયો વિશાળ મગર, લોકોમાં ભય
છોટાઉદેપુરના નસવાડી તાલુકાના કડવાં ગામ પાસે કેનાલના માર્ગ પર રાત્રિના સમયે એક વિશાળ મગર દેખાતાં વાહનચાલકો અને રાહદારીઓમાં ભયનો માહોલ સર્જાયો હતો. પોલીસ પેટ્રોલિંગ દરમિયાન આ ઘટના બની હતી, જેનો વીડિયો પોલીસે જનસુરક્ષાના ભાગરૂપે સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યો હતો. મગર થોડીવારમાં કેનાલ તરફ જતો રહ્યો હતો. ચોમાસામાં જળાશયોમાં પાણી વધતાં મગરો બહાર નીકળે છે. પોલીસે રાત્રિના સમયે આ માર્ગ પરથી પસાર થતા લોકોને સાવચેતી રાખવા અને મગર દેખાય તો વન વિભાગને જાણ કરવા અપીલ કરી છે.
છોટાઉદેપુર: નસવાડી તાલુકાના કડવાં ગામ પાસે કેનાલ રોડ પર દેખાયો વિશાળ મગર, લોકોમાં ભય
છોટાઉદેપુરના ઓડ ગામમાં વીજ થાંભલો નમી પડ્યો: ગ્રામજનો ભયમાં
છોટાઉદેપુરના ઓડ ગામમાં MGVCLની બેદરકારીને કારણે એક વીજ થાંભલો જોખમી રીતે નમી પડ્યો છે. ગ્રામજનોએ સ્વ-ખર્ચે તેને લાકડાનો ટેકો આપ્યો છે, પરંતુ ભારે વરસાદ કે પવનથી તે ધરાશાયી થવાનો ભય છે, જેનાથી જાનહાનિ થઈ શકે છે. માત્ર ૨૨ દિવસ પહેલાં આ જ ગામમાં કરંટથી બાળકનું મૃત્યુ થયું હતું, છતાં MGVCL દ્વારા સમારકામ ન થતાં લોકોમાં રોષ છે. ગ્રામજનોએ તાત્કાલિક કાર્યવાહીની માંગ કરી છે.
છોટાઉદેપુરના ઓડ ગામમાં વીજ થાંભલો નમી પડ્યો: ગ્રામજનો ભયમાં
ઇડર રથયાત્રા પૂર્વે હિમ્મતનગર જિલ્લા પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ અને સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ
આગામી તા.16મી જુલાઈએ ઇડરમાં યોજાનારી ભગવાન જગન્નાથજીની 28મી રથયાત્રાના શાંતિપૂર્ણ અને સુરક્ષિત આયોજન માટે જિલ્લા પોલીસ તંત્ર દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું. જિલ્લા પોલીસ વડા ડૉ.પાર્થરાજસિંહ ગોહિલની ઉપસ્થિતિમાં થયેલ આ પેટ્રોલિંગમાં મોટા રામદ્વારા મંદિરથી ટાવર ચોક, તિરંગા સર્કલ, જલારામ મંદિર સુધીના રૂટ પર સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ. 300 પોલીસ કર્મચારીઓ, 325 હોમગાર્ડ જવાનો, 45 બોડી-વોર્ન કેમેરા અને નેત્રમ કેમેરા દ્વારા રથયાત્રાનું લાઈવ મોનિટરિંગ કરવામાં આવશે.
ઇડર રથયાત્રા પૂર્વે હિમ્મતનગર જિલ્લા પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ અને સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ
પાદરામાં અષાઢી બીજે ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા યોજાશે, ભક્તિમય માહોલ સર્જાશે.
અષાઢી બીજના શુભ અવસરે પાદરા શહેરમાં ભગવાન જગન્નાથજી, બલરામજી અને સુભદ્રાજીની ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. શ્રી રામટેકરી મંદિર અને નગરજનોના સંયુક્ત ઉપક્રમે આ પરંપરાગત રથયાત્રા 16 જુલાઈના રોજ બપોરે 2 વાગ્યે શ્રી રામટેકરી રામજી મંદિરથી પ્રસ્થાન કરશે. સમગ્ર શહેરમાં ભક્તિમય વાતાવરણ સર્જાશે અને મોટી સંખ્યામાં ભાવિકો દર્શનનો લાભ લેશે. રથયાત્રામાં બેન્ડવાજા, ભજન મંડળીઓ, ડીજે, ધાર્મિક ઝાંખીઓ અને પુષ્પવર્ષાનું આયોજન કરાયું છે. ભાવિકો માટે મગ, જાંબુ, શિરો અને કેળાના પ્રસાદની વ્યવસ્થા પણ છે. રથયાત્રા બાદ મહાઆરતી યોજાશે.
પાદરામાં અષાઢી બીજે ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા યોજાશે, ભક્તિમય માહોલ સર્જાશે.
ઈડર: ભગવાન જગન્નાથ મામાના ઘરેથી નિજધામ પરત ફર્યા, રથયાત્રાનો ભક્તિમય માહોલ
અષાઢી બીજની 28મી ભવ્ય ભગવાન જગન્નાથ રથયાત્રા પૂર્વે, ભગવાન ઈડરના ઇન્દ્રનગર સોસાયટીમાં મામાના ઘરે ચાર દિવસ રોકાયા બાદ નિજધામ મોટા રામદ્વારા મંદિર તરફ પરત ફર્યા. આ ભવ્ય શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા, જેઓએ ઢોલ-નગારા અને જયઘોષ સાથે ભગવાનને વિદાય આપી. ભાવિકો ભક્તિ સંગીત અને ડીજેના તાલે નાચતા-ગાતા જોડાયા હતા, અને માર્ગમાં પુષ્પવર્ષા તથા પ્રસાદ વિતરણનું આયોજન કરાયું હતું.
ઈડર: ભગવાન જગન્નાથ મામાના ઘરેથી નિજધામ પરત ફર્યા, રથયાત્રાનો ભક્તિમય માહોલ
રણુ ખાતે શ્રી માં તુલજાભવાની મંદિરે અષાઢી ગુપ્ત નવરાત્રિ મહોત્સવનું આયોજન
વડોદરાના પાદરા તાલુકાના રણુ ગામમાં શ્રી માં તુલજાભવાની માતાજીના મંદિરે ૧૫ થી ૨૩ જુલાઈ દરમિયાન અષાઢી ગુપ્ત નવરાત્રિ મહોત્સવ યોજાશે. આ નવ દિવસીય કાર્યક્રમમાં માતાજીની વિશેષ પૂજા, આરાધના અને શક્તિ ઉપાસના થશે. સનાતન ધર્મ અનુસાર, ગુપ્ત નવરાત્રિ દરમિયાન દેવીના ગુપ્ત સ્વરૂપની આરાધના અને શક્તિ સાધના કરવાથી વિશેષ પુણ્યફળ મળે છે. ઘટસ્થાપન સાથે શરૂ થતા આ મહોત્સવમાં દુર્ગાષ્ટમીની ઉજવણી પણ ભક્તિમય વાતાવરણમાં થશે. મહંત કવિન્દ્રગીરીજીએ ભાવિકોને જોડાઈ આશીર્વાદ મેળવવા અપીલ કરી છે.
રણુ ખાતે શ્રી માં તુલજાભવાની મંદિરે અષાઢી ગુપ્ત નવરાત્રિ મહોત્સવનું આયોજન
હિંમતનગરમાં બે રથયાત્રાના આયોજનથી શહેરીજનોમાં વિવાદ અને અવઢવ
સાબરકાંઠાના હિંમતનગરમાં આ વર્ષે બે અલગ-અલગ રથયાત્રા નીકળવાની છે, જેના કારણે શહેરીજનોમાં ભારે અવઢવની સ્થિતિ સર્જાઈ છે. પરંપરાગત રીતે અષાઢી બીજ તા. 16મી જુલાઈએ એક રથયાત્રા નીકળશે. જ્યારે, ઇસ્કોન સંસ્થા દ્વારા નિયત દિવસના બદલે બે દિવસ બાદ તા. 18મી જુલાઈએ બીજી રથયાત્રા જાહેર કરાઈ છે. આ કારણે, અનેક હિંદુ સંગઠનો અને શહેરીજનો ઇસ્કોન સંસ્થા પર સંસ્કૃતિ અને પરંપરા સાથે ચેડાં કરવાનો આક્ષેપ કરી રહ્યા છે.
હિંમતનગરમાં બે રથયાત્રાના આયોજનથી શહેરીજનોમાં વિવાદ અને અવઢવ
લુણાવાડાના ગધનપુર ગામે PM PRANAM હેઠળ ખેડૂત સંગોષ્ઠી
લુણાવાડા તાલુકાના ગધનપુર ગામે ગુજરાત નર્મદા વેલી ફ્ર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડ (GNFC) દ્વારા PM PRANAM કિસાન સંગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ રાસાયણિક ખાતરોનો સંતુલિત અને વિવેકપૂર્ણ ઉપયોગ કરીને જમીનની ફળદ્રુપતા જાળવવાનો અને જમીનનું સ્વાસ્થ્ય સુધારવાનો હતો. ગધનપુર અને કાંકચીયા ગામના લગભગ 60-70 ખેડૂતોએ ભાગ લીધો. કૃષિ નિષ્ણાતોએ આધુનિક ખેતી, સેન્દ્રિય ખેતી અને જમીન સુધારણા પર માર્ગદર્શન આપ્યું.
લુણાવાડાના ગધનપુર ગામે PM PRANAM હેઠળ ખેડૂત સંગોષ્ઠી
સુરેન્દ્રનગર-ધ્રાંગધ્રા હાઇવે પર ખેતરો પાસે ખુલ્લામાં કેમિકલ વેસ્ટ ફેંકી જવાયું
સુરેન્દ્રનગર-ધ્રાંગધ્રા હાઇવે પર ખેતરો નજીક અજાણ્યા શખ્સો દ્વારા કેમિકલ વેસ્ટ ખુલ્લેઆમ ફેંકી દેવાતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ કેમિકલ વેસ્ટને કારણે જમીન અને પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. આવા કાયદાકીય અડચણોને કારણે કેટલીક ફેક્ટરીઓ રાત્રિ દરમિયાન હાઇવે નજીક વેસ્ટ ઠાલવી દે છે. રાજસીતાપુર સીએનજી પંપ પાસે ત્રણ જગ્યાએ આવા ઢગલા મળી આવ્યા છે. ખેડૂતોએ ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ દ્વારા તપાસ કરાવી જવાબદાર ફેક્ટરી સામે કડક કાર્યવાહીની માંગ કરી છે.
સુરેન્દ્રનગર-ધ્રાંગધ્રા હાઇવે પર ખેતરો પાસે ખુલ્લામાં કેમિકલ વેસ્ટ ફેંકી જવાયું
જેસંગપુરા ગામ પાસે ખાનગી કંપનીની સ્ટાફ બસ ટ્રક સાથે અથડાઈ
માંડલ તાલુકાના વિઠલાપુર નજીક હાઈવે પર જેસંગપુરા ગામ પાસે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો. હોન્ડા કંપનીની સ્ટાફ બસ રોડની બાજુમાં પાર્ક કરેલ ટ્રક સાથે અથડાઈ, જેના કારણે બસનો આગળનો ભાગ સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થયો અને બસ ચાલકને ગંભીર ઈજાઓ થઈ. પ્રાથમિક માહિતી મુજબ, ડ્રાઈવરે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા આ ઘટના બની. સ્થાનિકોએ બચાવ કાર્ય શરૂ કર્યું અને ચાલકને હોસ્પિટલ ખસેડાયા. આ અકસ્માતને પગલે ટ્રાફિક જામ થયો હતો, જેને બાદમાં ટ્રાફિક વિભાગ દ્વારા નિયંત્રિત કરાયો.
જેસંગપુરા ગામ પાસે ખાનગી કંપનીની સ્ટાફ બસ ટ્રક સાથે અથડાઈ
લુણાવાડાના ઘરના વાડામાં દેખાયો 8 ફૂટ લાંબો અજગર, એનિમલ હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રેસ્ક્યુ
લુણાવાડા તાલુકાના ઉચરપી ગામે એક ઘરના વાડામાં 8 ફૂટ લાંબો અજગર દેખાતાં સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. આ અંગે જાણ થતાં લુણાવાડાની એનિમલ હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી મહાકાય અજગરને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કર્યો. ટીમના સભ્યોએ ભારે જહેમત બાદ વાડામાં છુપાયેલા આ અજગરને પકડી પાડ્યો. બાદમાં, ટીમે લોકોને જણાવ્યું કે આ બુઆ પ્રજાતિનો બિનઝેરી અજગર છે અને તેનાથી ડરવાની જરૂર નથી. ત્યારબાદ અજગરને તેના કુદરતી વાતાવરણમાં સુરક્ષિત રીતે છોડી દેવામાં આવ્યો.
લુણાવાડાના ઘરના વાડામાં દેખાયો 8 ફૂટ લાંબો અજગર, એનિમલ હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રેસ્ક્યુ
ભરૂચમાં વિશ્વ વસ્તી દિવસની ઉજવણી, આરોગ્ય વિભાગ દ્વારા જનજાગૃતિ રેલી યોજાઇ
ભરૂચ શહેરમાં વિશ્વ વસ્તી દિવસની ઉજવણી નિમિત્તે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા 'સશક્ત પરિવાર, સ્વસ્થ માતા અને ખુશહાલ સંતાન' થીમ પર રેલીનું આયોજન કરાયું. રેલ્વે સ્ટેશનથી શરૂ થયેલી આ રેલીને આરોગ્ય અધિકારીઓએ ફ્લેગ બતાવી પ્રસ્થાન કરાવ્યું. કુટુંબ નિયોજન અંગે જાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ્ય સાથે યોજાયેલી આ રેલી જિલ્લા પંચાયત ખાતે સમાપ્ત થઈ, જેમાં વિવિધ પ્લેકાર્ડ્સ પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. મેડીકલ કોલેજની વિદ્યાર્થિનીઓ અને આરોગ્ય કર્મચારીઓ તેમાં જોડાયા હતા.
ભરૂચમાં વિશ્વ વસ્તી દિવસની ઉજવણી, આરોગ્ય વિભાગ દ્વારા જનજાગૃતિ રેલી યોજાઇ
લૂંટ અને ચોરીના ત્રણ ગુનામાં ફરાર ઈનામી આરોપીને રાજસ્થાનમાંથી પોલીસે દબોચ્યો
સુરેન્દ્રનગર જિલ્લાના લખતર, પાણશીણા અને ચોટીલા પોલીસ મથકે 3 વર્ષ પહેલા કોપર વાયરની ચોરી અને લૂંટનો બનાવ નોંધાયો હતો. આ કેસમાં ફરાર આરોપી સંજય ગુર્જરને પોલીસે ઈનામી આરોપી જાહેર કર્યો હતો. ત્યારે આ શખ્સ રાજસ્થાનમાં તેના ઘરે હોવાની બાતમી મળતા પેરોલ ફર્લો સ્કવોડના વિજયસિંહ પરમાર, શકિતસિંહ સહિતનાઓએ રાજસ્થાનમાં ધામા નાંખી ફરાર સંજય ઉર્ફે ધર્મેશ બાબુલાલ ગુર્જરને રાજસ્થાનના રાજસમંદ જિલ્લાના આકીયા ગામે તેના ઘરેથી ઝડપી લીધો છે.
લૂંટ અને ચોરીના ત્રણ ગુનામાં ફરાર ઈનામી આરોપીને રાજસ્થાનમાંથી પોલીસે દબોચ્યો
સુરતમાં 15 સર્વિસ સેન્ટરો પર ભાસ્કરની તપાસ
7 જુલાઈના પૂરે સુરતના ઓટોમોબાઈલ સેક્ટરને મોટો ફટકો માર્યો છે. RTO અને સર્વિસ સેન્ટરોના આંકડા મુજબ, 4 હજારથી વધુ કાર અને 1 લાખથી વધુ ટુ-વ્હીલર ડૂબી ગયાં હતાં. સેન્સર ચિપ અને ઈલેક્ટ્રોનિક સિસ્ટમ સંપૂર્ણપણે ફેલ થતાં ઘણી કારમાં ટોટલ લોસની સ્થિતિ છે. શહેરના 400 મોટા વર્કશોપ અને હજારો નાના ગેરેજ ક્ષતિગ્રસ્ત વાહનોથી ભરાઈ ગયાં છે. સ્પેરપાર્ટ માટે મહિનાઓનું વેઇટિંગ છે. RTOએ ડીલરોને રિપેરિંગ કરવાનો ઇનકાર નહીં કરવાની સૂચના આપી છે.
સુરતમાં 15 સર્વિસ સેન્ટરો પર ભાસ્કરની તપાસ
થાન PGVCLમાં અરજદારની હાલાકી: વીડિયો ઉતારવા કર્મચારીનો ઉદ્ધત જવાબ
સુરેન્દ્રનગરના થાનગઢ PGVCL કચેરીમાં વીજ જોડાણ અને અન્ય કામો માટે આવતા ગ્રાહકોને ફોર્મ ચકાસણી અને સહી-સિક્કા માટે કલાકો સુધી ભારે હાલાકી ભોગવવી પડે છે. કચેરીમાં દસ્તાવેજોના મોટા ખડકલા અને લાંબી લાઇનોને કારણે ગ્રાહકો પરેશાન થાય છે. એક અરજદારે આ વિલંબની મુદ્દે કર્મચારીનું ધ્યાન દોર્યું ત્યારે કર્મચારીએ ઉદ્ધતાઈભર્યો જવાબ આપ્યો કે "ક્યાં ફેર પડે છે, ઉતારી લો વીડિયો!". આ વર્તનથી ગ્રાહકોમાં રોષ ફેલાયો છે. ઇન્ચાર્જ એન્જિનિયર એમ.બી. જાદવે જણાવ્યું કે, સિટી અને ગ્રામ્ય ઓફિસો અલગ કરવાની કામગીરી ચાલી રહી છે, જે 3-4 દિવસમાં પૂર્ણ થતાં ગ્રાહકોની હાલાકી દૂર થશે.