છોટા ઉદેપુર: ચોમાસામાં પણ ગ્રામજનો પીવાના પાણી માટે વલખાં મારવા મજબૂર
છોટા ઉદેપુર: ચોમાસામાં પણ ગ્રામજનો પીવાના પાણી માટે વલખાં મારવા મજબૂર
Published on: 26th July, 2026

નસવાડી તાલુકાના તણખલા ગામમાં છેલ્લા 9 દિવસથી 1.50 લાખ લિટરના સંપમાં પાણી ન આવતા 6 હજારની વસતી ધરાવતા ગામમાં ભર ચોમાસે પીવાના પાણી માટે લોકોએ હાલાકી ભોગવવી પડી રહી છે. ગામમાં માત્ર એક બોર છે જે ઉનાળામાં સુકાઈ જાય છે, જેથી ગ્રામ પંચાયત પોંચબા વોટર ફિલ્ટર પ્લાન્ટ પર નિર્ભર છે. પ્લાન્ટ દ્વારા સપ્લાય બંધ થતાં આખું ગામ પાણી વિના તરસે છે. સરપંચની રજૂઆતો છતાં અધિકારીઓ દ્વારા કોઈ નિરાકરણ આવ્યું નથી.