શા માટે આવે છે બગાસા?
શા માટે આવે છે બગાસા?
Published on: 15th August, 2026

બગાસાને ઘણીવાર આળસનું પ્રતીક માનવામાં આવે છે, પરંતુ વૈજ્ઞાનિકો પણ તેના ચોક્કસ કારણો શોધી શક્યા નથી. થાકની સ્થિતિમાં, શ્વાસ લેવાની ગતિ ધીમી પડે છે અને શરીરને પૂરતો ઓક્સિજન મળતો નથી. મગજને વધુ ઓક્સિજનની જરૂર હોવાથી, ઓક્સિજનનું સ્તર ઘટતાં તે સુસ્તી અનુભવે છે. આ સમયે, મગજ બગાસું લાવવાનો સંકેત મોકલે છે, જેનાથી ઊંડો શ્વાસ લેવાય છે અને શરીરને તાજગી મળે છે. આમ, બગાસું એ શરીરને રીફ્રેશ કરવાની એક શારીરિક પ્રક્રિયા છે.