વડોદરામાં મેડિકલ ચેક-અપ કેમ્પ: ૧૦૦ દર્દીઓએ વિનામૂલ્યે નિદાન અને દવા મેળવી
વડોદરામાં મેડિકલ ચેક-અપ કેમ્પ: ૧૦૦ દર્દીઓએ વિનામૂલ્યે નિદાન અને દવા મેળવી
Published on: 15th August, 2026

વડોદરાના પાણીગેટ સ્થિત આયુર્વેદિક હોસ્પિટલ અને ઓમ સીનીયર સીટીઝન એસોસીયેશનના સહયોગથી શ્રી ઉદય નારાયણ મહાદેવ મંદિરમાં એક મેડિકલ ચેક-અપ કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં ડૉ. ચૈતાલી શાહ અને તેમની ટીમ દ્વારા ૧૦૦ થી વધુ દર્દીઓની વિનામૂલ્યે તપાસ કરી દવાઓ આપવામાં આવી. આ કાર્યક્રમમાં એસોસિએશનના ઉપપ્રમુખ જગદીશભાઈ પંડયા, હોદ્દેદારો, સભ્યો અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. રજનીભાઈ પટેલે આયોજનમાં મહત્વનો ફાળો આપ્યો હતો.