પાલેજમાં ૧૨ વર્ષના બાળકનું ફૂડ પોઇઝનિંગથી મોત
પાલેજમાં ૧૨ વર્ષના બાળકનું ફૂડ પોઇઝનિંગથી મોત
Published on: 14th August, 2026

ભરૂચના પાલેજમાં એક રેસ્ટોરન્ટમાંથી લીધેલ નોનવેજ વાનગી ખાધા બાદ એક પરિવારને ફૂડ પોઇઝનિંગ થયું. જેમાં ૧૨ વર્ષના બાળક પૂર્વ અંકિત પટેલની તબિયત લથડતાં તેને વડોદરાની સરકારી હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું. પરિવારે ફૂડ પોઇઝનિંગથી મોત થયાનો આક્ષેપ કર્યો છે. પોલીસે મોતનું ચોક્કસ કારણ જાણવા PM રિપોર્ટની રાહ જોઈ રહી છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે રેસ્ટોરન્ટમાંથી વાનગીઓના નમૂના લઈને તપાસ શરૂ કરી છે.