ગાંધીનગરમાં ચાંદીપુરા વાયરસના વધુ એક બાળકના મોત
ગાંધીનગરમાં ચાંદીપુરા વાયરસના વધુ એક બાળકના મોત
Published on: 29th July, 2026

ગાંધીનગર જિલ્લામાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ લક્ષણો ધરાવતા વધુ એક 4 વર્ષીય બાળકના સારવાર દરમિયાન મોત બાદ રાજ્યમાં ચિંતાનો માહોલ છે. માણસા તાલુકાના ચરાડા ગામના આ બાળકને તાવ અને ઉલ્ટીના લક્ષણો બાદ હોસ્પિટલમાં દાખલ કરાયું હતું. થોડા દિવસ પહેલાં કલોલમાં પણ આવા જ લક્ષણો ધરાવતા એક બાળકના મોત બાદ આરોગ્ય વિભાગે અસરગ્રસ્ત વિસ્તારોમાં સર્વેલન્સ અને આરોગ્ય તપાસ તેજ કરી છે. લોકોને બાળકોમાં ગંભીર લક્ષણો દેખાય તો તાત્કાલિક સારવાર લેવા અને સ્વચ્છતા જાળવવા અપીલ કરાઈ છે.