વડોદરાના તાંદળજામાં પાણીની લાઈનમાં ભંગાણ
વડોદરાના તાંદળજામાં પાણીની લાઈનમાં ભંગાણ
Published on: 05th September, 2026

વડોદરાના તાંદળજા વિસ્તારમાં પાણીની લાઈનમાં ભંગાણ થતાં હજારો લિટર શુદ્ધ પાણીનો વેડફાટ થયો છે. જે.પી. રોડ પોલીસ મથક પાસે થયેલા આ ભંગાણ બાદ પાણી રસ્તા પર ફરી વળ્યું અને ગટરમાં વહી ગયું. તાંદળજામાં પાણીની સમસ્યા હોવા છતાં આવા વેડફાટ અંગે મ્યુનિસિપલ કોર્પોરેશનની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે. સામાજિક કાર્યકરોએ જણાવ્યું કે, એક જ સ્થળે વારંવાર ભંગાણ પડતું હોવા છતાં કાયમી સમારકામ થતું નથી અને બિલો ચૂકવાય છે, જેની તપાસ થવી જોઈએ.