પ્રધાનમંત્રી આવે ત્યારે રસ્તા ચકાચક
પ્રધાનમંત્રી આવે ત્યારે રસ્તા ચકાચક
Published on: 05th September, 2026

વડોદરા શહેરના વોર્ડ નંબર-4માં સિદ્ધેશ્વર હિલ સ્ક્વેરના રહીશોએ રસ્તાની સમસ્યાને લઈને વિરોધ પ્રદર્શન કર્યું. કોંગ્રેસ કાર્યકરની આગેવાનીમાં એકત્ર થયેલા રહીશોએ તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો. કાર્યકરે આક્ષેપ કર્યો કે પ્રધાનમંત્રી આવે ત્યારે જ રસ્તાઓ સુધારવામાં આવે છે, જ્યારે સામાન્ય નાગરિકોની સમસ્યાઓ અવગણવામાં આવે છે. છેલ્લા છ વર્ષથી સોસાયટી તરફ જતો માત્ર 200 મીટર રસ્તો ઉબડખાબડ હોવાથી વાહનચાલકો અને રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. 8 સપ્ટેમ્બરે પ્રધાનમંત્રીની મુલાકાત સમયે રસ્તાની સમસ્યા અંગે રજૂઆત કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.