સુરતમાં એક જ રાતમાં 3 યુવકોના વીજ કરંટથી મોત
સુરતમાં એક જ રાતમાં 3 યુવકોના વીજ કરંટથી મોત
Published on: 05th September, 2026

સુરત શહેરમાં જન્માષ્ટમીની મોડી રાત્રે એક અત્યંત દર્દનાક ઘટના બની હતી, જેમાં અલગ-અલગ ઔદ્યોગિક વિસ્તારોમાં વીજકરંટ લાગવાથી માત્ર એક જ રાતમાં 3 યુવકોના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે. આ દુર્ઘટનાઓ સચિન જીઆઈડીસી, પાંડેસરા અને લિંબાયત વિસ્તારમાં બની હતી. સચિનમાં સિલાઈ મશીનને અડકતાં એક યુવકનું મોત થયું, જેની ઘટના CCTVમાં કેદ થઈ છે. પાંડેસરામાં મિલમાં અને લિંબાયતમાં મશીનરી પર કામ કરતાં અન્ય બે યુવકોએ પણ જીવ ગુમાવ્યો. આ ઘટનાઓએ ઔદ્યોગિક વિસ્તારોમાં સલામતીના સાધનો અંગે ગંભીર સવાલો ઊભા કર્યા છે.