નર્મદામાં જંગલ જમીન વિવાદ વકર્યો
નર્મદામાં જંગલ જમીન વિવાદ વકર્યો
Published on: 05th September, 2026

નર્મદા જિલ્લાના હલગામપાડી ગામે જંગલ જમીનનો વિવાદ વકર્યો છે, જ્યાં ખેડૂતો અને ફોરેસ્ટ અધિકારીઓ વચ્ચે ઘર્ષણ થયું. ગ્રામજનો ખેડાણ માટે પહોંચતા અધિકારીઓએ રોક્યા, જેના કારણે તણાવ સર્જાયો. કોંગ્રેસ નેતા સંદીપ માંગરોલાએ ગ્રામજનો અને ACF ગૌરવ લોઢા સાથે બેઠક યોજી. ગ્રામ આગેવાને ખેડૂતોને રોકવા પાછળ કલમ અને કારણ પૂછ્યું. 608 ખેડૂતોના પેન્ડિંગ દાવા અને સોમવાર સુધી કામચલાઉ વિરામની માંગ કરાઈ, જેના પર સૌની નજર રહેશે.