ગુજરાતમાં ₹30,766 કરોડના રેલવે પ્રોજેક્ટ્સનું PM મોદીના હસ્તે વડોદરાથી લોકાર્પણ
ગુજરાતમાં ₹30,766 કરોડના રેલવે પ્રોજેક્ટ્સનું PM મોદીના હસ્તે વડોદરાથી લોકાર્પણ
Published on: 05th September, 2026

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 8 સપ્ટેમ્બરે વડોદરા ખાતે ₹30,766 કરોડના રેલવે પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે. આ કાર્યક્રમમાં ગુજરાત અને મધ્યપ્રદેશને જોડતા પ્રોજેક્ટ્સ, ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર (DFC) ના નવા ખંડો, વડોદરા-રતલામ ત્રીજી/ચોથી લાઇન, વિશ્વામિત્રી-ડભોઇ ડબલિંગ, મિયાગામ કરજણ-ચોરંદા-માલસર ગેજ પરિવર્તનનો સમાવેશ થાય છે. જોબટ-ટાણ્ડા રોડ રેલ સેક્શનનું લોકાર્પણ અને નવી ટ્રેન સેવા પણ શરૂ થશે. DFC ના નવા સેક્શનો ગુજરાતના ઔદ્યોગિક વિસ્તારો અને બંદરો વચ્ચે કનેક્ટિવિટી ઝડપી બનાવશે.