ભવનાથમાં સાધુ બનેલા આધેડની ચોરીની શંકાથી 3 શખ્સોએ લાકડી મારી હત્યા કરી, ગુનો દાખલ
ભવનાથમાં સાધુ બનેલા આધેડની ચોરીની શંકાથી 3 શખ્સોએ લાકડી મારી હત્યા કરી, ગુનો દાખલ
Published on: 15th July, 2026

શહેર નજીક વાઘેશ્વરી મંદિર સામે મોડી રાત્રે એક ચોંકાવનારી ઘટના બની. છેલ્લા ચારેક વર્ષથી ભવનાથ વિસ્તારમાં સાધુ તરીકે રહેતા 50 વર્ષીય ભરતભાઇ જીવાભાઇ મકવાણાની ત્રણ શખ્સોએ ચોરીની શંકા રાખી લાકડી અને દોરી વડે નિર્મમ હત્યા કરી હતી. ઘટનાસ્થળે જ ભરતભાઇનું મોત નીપજ્યું હતું. મૃતકના મોટા ભાઈની ફરિયાદના આધારે, અશોક બગડા, અશોક પરમાર અને અતુલ રણમલ કડછા સામે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે. આરોપીઓની પત્નીના મંગલસૂત્રની ચોરીમાં મૃતક અને અશોક બગડા પર શંકા હતી.